SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ध्यानविचार-सविवेचन ત્યાર પછી આત્મા દશમાં સૂક્ષ્મ-સંપાય-ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે. સંજવલન લેભની કીટ્ટીઓને ઉદય–ઉદીરણાથી ભગવાને તે ગુણસ્થાનકના ચરમ-સમયે સંજવલન લોભને સર્વથા શાનત કરે છે. ત્યાર પછીના સમયે આત્મા ઉપશાન્ત–મહ નામના અગિયારમા ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે. આ ગુણ-સ્થાનકે મોહનીય-કર્મની એક એક પ્રકૃતિ સંપૂર્ણ ઉપશાન્ત થયેલ હોવાથી તે પ્રકૃતિઓમાં સંક્રમણ, ઉદ્દવર્તના, અપવર્તન, નિધત્તિ, નિકાચને અને ઉદીરણું કરણે પ્રવર્તતાં નથી. તેમજ તે પ્રકૃતિ અને ઉદય પણ થતો નથી. આ સમયમાં આત્મા વીતરાગ-દશાનો અનુભવ કરે છે. આ ઉપશાન્ત–મેહ ગુણઠાણે આત્મા જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત માત્ર રહે છે. તે પછી તે અવશ્ય પતન પામે છે કારણ કે મેહનીય-કર્મના અસ્તિત્વને સમૂળ ઉછેદ થયો ન હોવાથી અંતમુહૂર્ત પછી ઉપશાન્ત થયેલા કષાયે ફરી ઉદયમાં આવે છે. પ્રતિપાત બે રીતે થાય છે : (૧) ભવક્ષય વડે અને (૨) અદ્ધાક્ષય વડે. (૧) ભવક્ષય – આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પામે તો તે અવશ્ય અનુત્તર દેવલોકમાં જાય અને ત્યાં ઉ૫ત્તિના પ્રથમ સમયે જ શું ગુણ-સ્થાનક પ્રાપ્ત થાય છે. (૨) અદ્ધાક્ષય :- ઉપશાત-મોહ નામના ગુણ સ્થાનકને કાળ પૂર્ણ થવાથી પડે તે જે કેમે ચડયો હોય એ જ કેમ પડે છે. પડતાં અનુક્રમે સાતમા અને છઠ્ઠા સુધી તો આવે જ છે, ત્યાં જે સ્થિર ન થાય તે કઈ પાંચમે અને એથે ગુણઠાણે પણ આવે છે, તે કેઈ ત્રીજેથી પડી પહેલે અને કઈ બીજે થઈ પહેલે ગુણઠાણે આવી ઊભો રહે છે અને અત્યાર સુધી કરેલા પ્રબળ પુરુષાર્થનું ફળ હારી જાય છે. તે ક્ષપકશ્રેણિ - કમશઃ ચડતાં જે અધ્યવસાય દ્વારા આત્મા દર્શન–મોહનીયને અને ત્યાર પછી ચારિત્ર–મેહનીયનો સર્વથા ક્ષય કરે, તે ક્ષપક–ણિ કહેવાય છે. તેના બે અંશ છે : (૧) ક્ષાયિક-ભાવનું સમ્યફ વ અને (૨) ક્ષાયિક-ભાવનું ચારિત્ર. ક્ષપક-શ્રેણિને આરંભ કરનાર મનુષ્ય જ હોય છે અને તે આઠ વર્ષથી અધિક આયુવાળે, પ્રથમ સંઘયણવાળે, શુદ્ધધ્યાનયુક્ત મનવાળે, અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત કે અપ્રમત્ત કેઈ પણ ગુણસ્થાનકે વર્તમાન અને ક્ષોપશમ સમ્યફવી હોય છે. તીવ્ર વિશુદ્ધિના બળથી લેભની વર્ગણાઓ માં એટલે બધા રસ ઘટાડી નાખવો કે જેને લઈને ચડતા–ચડતા રસાણુવાળી વગણને ક્રમ તૂટી જાય અને વર્ગણ–વગણઓની વચ્ચે મોટું અંતર પડી જાય, તે “કીટ્ટી” કહેવાય છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy