SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ટઢ ] ध्यानविचार-सविवेचन હવે એ રીતે વિકાલિક આત્માને પણ એક કાળે કળી–જાણી લે તો તે ધ્યાતાને જીવ ચિદ-વિવને (જ્ઞાનાદિ ગુણોના પર્યાને) ચેતન-તત્ત્વમાં સંક્ષેપીને- સમાવીને ચિતન્ય (વિશેષણ) ને પણ આત્મામાં અંતહિત કરી, કેવળ આત્મા” (ત્રિકાલિક પર્યાય યુક્ત) ને અનુભવ કરે છે. આ રીતે આત્માને જાણવાથી થાતા નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિભાવને પામે છે અને તેથી મહાદિ શત્રુઓને નાશ થવાથી નિર્ભયતાને અનુભવ કરે છે. (૧૭-૧૮) લવ–પરમ લવ ધ્યાન મૂળપાઠ -- થતો ત્રાહિમ શાર્ટના भावतः कर्मणां शुभध्यानानुष्ठानलेवनम् ॥१७॥ परमलवः-उपशमश्रेणि-क्षपकश्रेणी ॥१८॥ અર્થ :- લવ-દાતરડા વગેરેથી ઘાસ આદિનું જે કાપવું તે “દ્રવ્યથી લવ” છે. શુભધ્યાનરૂપ અનુષ્ઠાન વડે કર્મોને છેદવાં તે “ભાવથી લવ’ છે. પરમલવ-ઉપશમ-શ્રેણિ તથા ક્ષપક-શ્રેણિ એ “પરમલવ” છે. વિવેચન-લવધ્યાન એ કર્મોને કાપવાની પ્રક્રિયા છે. જેમ દાતરડા વડે ઘાસ વગેરે કપાય છે તેમ શુભધ્યાનરૂપ સદનુષ્ઠાન વડે અશુભકર્ણોરૂપ ઘાસ કપાય છે. પૂર્વોક્ત ધ્યાને તથા સંયમાદિ અનુષ્ઠાનની વિશેષ શુદ્ધિ થવાથી પુષ્કળ પ્રમાણમાં કર્મોનો જે ઉપશમ અથવા ક્ષય – મૂળથી ઉચ્છેદ થાય છે તે અવસ્થાને “લવ” અને “પરમલવ” દ્વારા બતાવવામાં આવે છે. આ ધ્યાને માં વિર્ય શક્તિનું અત્યંત પ્રાબલ્ય હોય છે. તેના તારતમ્ય પ્રમાણે ઉત્તરોત્તર આમ– શુદ્ધિમાં તારતમ્ય આવે છે. તેને સ્પષ્ટ ખ્યાલ ઉપશમણિ અને ક્ષપકશ્રેણિ દ્વારા કર્મ–પ્રકૃતિ આદિ ગ્રન્થામાં આપવામાં આવ્યો છે અને તેને સંક્ષિપ્ત સાર નીચે મુજબ છે – કર્મના મુખ્ય આઠ પ્રકાર છે. તેમાં મેહનીયકર્મ મુખ્ય છે. તેનું જેર–પ્રભાવ ઘટાડડ્યા વિના આત્માને યથાર્થ વિકાસ થઈ શકતું જ નથી. મેહનીયકર્મના પેટા ભેદ ૨૮ છે, તેની વિશેષ માહિતી કમ-ગ્રન્થ” આદિ ગ્રન્થ દ્વારા સમજી લેવી. અહીં તે કમને ક્ષય અને ઉપશમ (એટલે કે ઉદયમાં આવેલા કમંદલિનો ક્ષય અને સત્તામાં રહેલા કર્મદિલિનો ઉપશમ) ક્યા ક્રમે થાય છે, તે જણાવવા દ્વારા આત્મવિશુદ્ધિના તારતને ખ્યાલ આપવાનો છે, જેથી લવ” અને “પરમલવ” ધ્યાનનું કાર્ય–જે કર્મને લવ - વિછેદ છે, તેને સ્પષ્ટ રીતે બોધ થાય. જ્ઞાનાવરણીયાદિ મુખ્ય આઠ પ્રકારનાં કર્મોમાંથી ઉપશમ, માત્ર મોહનીયકમને જ થાય છે. મેહનીય કર્મની ઉત્તર-પ્રકૃતિઓ (પેટા ભેદ) ૨૮ પ્રકારની હોવાથી તેના ઉપશમક્રમને – એક પછી એક-કૃમિક રીતે થતા ઉપશમને “ઉપશમશ્રેણિ” કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy