SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ध्यानविचार - सविवेचन [ ક્ કહેવામાં આવે છે. તે સમાપત્તિ વૈજ્ઞાનિક સબધ વિશેષ છે અને તે સંબધ વિશેષ, ધ્યાન સમયે ભાસિત થાય છે. તે ધ્યાનના આકાર પ્રથમ ‘ચિ તદૂતા · મારામાં તે પરમાત્મરૂપ છે” અને પછી ‘ક્ષ ત્ર જ્ઞમ્' ‘તે જ હુ છુ”—એવા હોય છે. ‘ચિ સરૂપતા' એ ‘ તસ્થતા સમાપત્તિ’ છે અને ‘સત્ત્વ લમ્' એ ‘ત‘જનતા—સમાપત્તિ છે. આમિક દૃષ્ટિએ લય-૫૨મલય : – આગમની દૃષ્ટિએ ‘લય’માં અરિહંત પરમાત્માના શુદ્ધ-દ્રવ્ય-ગુણ-પર્યાયનુ` ધ્યાન થાય છે અને પરમલય’માં તેમના ધ્યાનાવેશના પ્રભાવે સ્વદ્રવ્ય-ગુણ-પર્યાયનું ધ્યાન થાય છે. અરિહંત પરમાત્માના શુદ્ધ સ્ફટિક સમાન નિર્મળ સ્વરૂપના ધ્યાનથી પ્રથમ પરમાત્મામાં અને પછી ધ્યાતામાં નિશ્ચયથી દ્રવ્ય, ગુણ, પર્યાયની સાદૃશ્યતાનું જ્ઞાન થાય છે. તે પછી પરમાત્મા અને ધ્યાતાના આત્માના અભેદ છે એવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે કહ્યું છે કે-જે (આત્મા) અરિહંત પરમાત્માને દ્રવ્ય, ગુણ, પર્યાયથી જાણે છે, તે આત્માને જાણે છે અને તેને માહ ખરેખર નાશ પામે છે; કારણ કે અને આત્માએમાં નિશ્ચયથી કાઈ તફાવત નથી.’૩૧ અરિહંત પરમાત્માનું સ્વરૂપ, છેલ્લા તાપને પામેલા સુવર્ણના સ્વરૂપની માફ્ક સર્વ પ્રકારે શુદ્ધ અને સ્પષ્ટ હાય છે, તેથી તેનુ જ્ઞાન થતાં સવ આત્માનું જ્ઞાન થાય છે. દ્રવ્ય—ગુણુ–પર્યાયનુ સ્વરૂપ : ગુણ અને પર્યાયાના આધારને ‘દ્રવ્ય' કહે છે તથા ‘દ્રવ્ય’ના જ્ઞાનાદિ વિશેષણાને ગુણુ' કહે છે અને એક સમય માત્ર કાળના પ્રમાણથી ચૈતન્ય આદિની પરિણતિના ભેદાને ‘પર્યાય' કહે છે. સર્વાંતઃ વિશુદ્ધ એવા તે અરિહંત પરમાત્માના સ્વરૂપમાં લીન થયેલેા ધ્યાતા દ્રવ્ય-ગુણ-પર્યાયમય નિજ આત્માને પોતાના મનથી જાણી લે છે, તે આ પ્રમાણે -- આ ચૈતન (આત્મા) છે –એવા જે અન્વય તે ‘દ્રવ્ય’ છે. અન્વયને આશ્રિત રહેલું ચૈતન્ય' એવું જે વિશેષણ ગુણુ' છે અને એક સમય માત્રની મર્યાદાવાળું જેનુ કાળ—પરિણામ હાવાથી પરસ્પર પરાવૃત્ત એવા જે અન્વય અને વ્યતિરેકા, તે ‘પર્યા’ છે કે જેઓ ચિ—વિવર્તનની (આત્માના પરિણમનની) ગ્રન્થિએ છે. રૂ૨. નો નાગતિમદંતે વત્ત-મુળત્ત-પદ્મવત્તાă । सो जादि अपाण मोहो खलु जादि तस्स लयं ॥ Jain Education International —વનસાર ; થા-૮૦. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy