SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ध्यानविचार-सविवेचन [ દવ આઠમી ગુણકોણિમાં શેષ મોહનીય કર્મની ૨૧ પ્રકૃતિના ક્ષયનો પ્રારંભ થાય છે, તેને “મેહ-ક્ષપક અવસ્થા કહે છે. નવમી ગુણશ્રેણિમાં–એ જ શેષ મોહનીયકર્મની પ્રકૃતિઓને અર્થાત્ મોહને સર્વથા ક્ષય થાય છે, તેને “ક્ષીણમેહ અવસ્થા કહે છે. આ પ્રમાણે છદ્મસ્થ-અવસ્થામાં એટલે કે કેવળજ્ઞાન પ્રાપ્તિની પહેલાં પ્રત્યેક આત્માએ ઉપરોક્ત ગુણ શ્રેણિઓ– નિશ્ચલ-ધ્યાનની ઊંચી-ઊંચી ભૂમિકાઓ –અવશ્ય પ્રાપ્ત કરવી પડે છે અને તેમાં પ્રથમ ભૂમિકામાં આવવા માટે પૂર્વોક્ત સાત અવાન્તર ગુણશ્રેણીઓ ધ્યાનની ભૂમિકાઓ પણ અવશ્ય સિદ્ધ કરવી પડે છે. ધ્યાનની નિશ્ચલતા કેળવવા માટે કે નિશ્ચલ-ધ્યાનની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પૂર્વે બતાવેલાં ધ્યાન, પરમ-ધ્યાન, શૂન્ય, પરમ-શૂન્ય આદિ ધ્યાનોને સતત અભ્યાસ કરવો જરૂરી છે. ગુણશ્રેણિમાં કર્મ-ક્ષયને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેથી જે કર્મલિકે–સ્ક લાંબા કાળે ઉદયમાં આવવાનાં હોય છે તે નીચેની ભેગવાતી ચાલુ સ્થિતિમાં પ્રક્ષેપ કરીને અપકાળમાં ભેળવી લેવામાં આવે તેને “ગુણશ્રેણિ કહે છે. ગુણશ્રણિ વિશુદ્ધ અને પ્રબળ-ધ્યાનની પવિત્ર-પ્રક્રિયા છે, ધ્યાનની નિશ્ચલતા અને વિશુદ્ધિ વિના-અપ કાળમાં અધિક કમેને ક્ષય થઈ શકતો નથી. તેમાં પણ છઠ્ઠી– સાતમી ગુણશ્રેણિ, ઉપશમ શ્રેણિવાળા પુણ્યાત્માને અને આઠમી-નવમી ગુણશ્રેણિ ક્ષકશ્રેણિગત ગી–મહાત્માઓને મેહનીય-કર્મનો ક્ષય કરતી વખતે હોય છે. છઠ્ઠીથી-નવમી સુધીની ચાર ગુણશ્રેણિઓ અત્યંત નિશ્ચલ–ધ્યાન સ્વરૂપ છે અને તે કલા, બિન્દુ રહિત એવા આત્મ-તત્તને સાક્ષાત્કાર કરાવનાર હોવાથી તેને “પરમ–બિન્દુ' કહે છે. (૧૧-૧૨) નાદ–પરમનાદ ધ્યાન મૂળપાઠ - નાવા-ચતો ગુમુક્ષાતુરાજાનજુરીસ્થતિન મુન્નારા भावतः स्वशरीरोत्थ एव तुर्यनिर्घोष इव स्वयं श्रूयते ॥११॥ परमनादः- पृथग वाद्यमानवादित्रशब्दा इव विभिन्ना व्यक्ताः श्रूयन्ते ॥ १२ ॥ અર્થ – નાદ - ભૂખથી પીડાતા મનુષ્યો કાનમાં આંગળી નાખીને જે સૂસકારો કરે છે, તે ‘દ્રવ્યથી નાદ છે. પિતાના શરીરમાં જ ઉત્પન્ન થયેલે જે નિર્દોષ (નાદ) વાજિંત્રના અવાજની જેમ સ્વયં સંભળાય છે, તે “ભાવથી નાદ છે. પરમનાદા–જુદાં જુદાં વાગતાં વાજિંત્રોના શબ્દોની જેમ-વિભિન્ન અને વ્યક્ત શબ્દ (ધ્વનિઓ) સંભળાય, તે “પરમનાદ' કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy