SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ] ध्यानविचार-सविवेचन ન્યાતિ ધ્યાન મૂળપાઠ – કાતિઃ-a-g-ળિ-કઢી-વિgાર દ્રવ્યતા, માતોશ્વાસુ ___ लीनमनसो भूत-भवद्-भविष्यद् वहिर्वस्तुसूचा विषय -प्रकाशः ॥७॥ અર્થ – જાતિના બે પ્રકાર છેઃ (૧) દ્રવ્યજ્યોતિ અને (૨) ભાવભેતિ. દ્રવ્યતિ -ચન્દ્ર, સૂર્ય, મણિ, દીપક તથા વીજળી વગેરે દ્રવ્યથી જ્યોતિ છે. ભાવતિ -ધ્યાનાભ્યાસથી જેનું મન લીન થયું છે તેવા મનુષ્યોને ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ સંબંધી બાહ્ય-વસ્તુઓને સૂચવનારે જે વિષય–પ્રકાશ ઉત્પન્ન થાય છે તે ભાવથી જ્યોતિ છે. વિવેચન -જ્યોતિનું ધ્યાન પણ અત્યંત મહત્ત્વપૂર્ણ રોમાંચક અને રહસ્યમય છે. જ્યોતિના સ્વરૂપનું જ્ઞાન થવાથી તેના ચિંતન અને ભાવનાના અભ્યાસી સાધકને આપમેળે તેને અપૂર્વ સુખદઅનુભવ થાય છે. દ્રવ્યોતિનું ધ્યાન પણ ભાવતિના ધ્યાનમાં આલંબનભૂત બને છે. આ હકીકતના સમર્થનમાં રાજર્ષિ પ્રસન્નચંદ્રનું દષ્ટાન્ત શાસ્ત્ર-પ્રસિદ્ધ છે. પહેલાં તેમણે સૂર્ય– સન્મુખ દષ્ટિ રાખીને દ્રવ્ય ધ્યાન કર્યું હતું અને તેના આલંબને ભાવેજોતિના ધ્યાનમાં એકાકાર થઈને ક્ષપકશ્રેણિ માંડી હતી. ધ્યાનના અભ્યાસ વડે મન, આત્માદિ તત્વના ચિંતનમાં સુલીન બને છે, ત્યારે ભૂત, ભાવિ અને વર્તમાનકાલીન બાહ્ય-વસ્તુઓને જણાવનારે જે જ્ઞાન–પ્રકાશ સાધકના હૃદયમાં પ્રગટે છે તે “ભાવજતિ છે. આ યાન મેગીઓને અનુભવગમ્ય હોય છે. આ સંદર્ભમાં પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે કે – “પ્રશસ્ત આલંબન ધ્યાનને વારંવાર અભ્યાસ કર્યા પછી મનને ક્ષણવાર નિરાલંબન કરવું. એમ વારંવાર અભ્યાસ કરવાથી નિરાલંબન યાન પરિપકવ બની જશે. પછી કોઈ પગ એક પદાર્થનું આલંબન લઈ, બીજા બધા જ વિચાર-વિક છેડી દઈએ ત્યારે ઈંધન વિનાના અગ્નિની જેમ ચિત્ત શાન બની જાય છે. ચિત્ત શાંત બની જવાથી આત્માની સહજ પ્રશાન્ત જ્યોતિ પ્રગટે છે અને અનાદિ-અવિદ્યાનો અંધકાર નાશ પામે છે, મોહ વિલય પામે છે. ૪ આત્મતિ અને અનુભવ-જ્ઞાનશ્રતજ્ઞાન અને શુભધ્યાનના સતત અભ્યાસથી તેના ફળરૂપે પ્રગટેલી આત્મ-જાતિ, આત્માને અનુભવ કરાવનારી હોવાથી “અનુભવ-જ્ઞાન” સ્વરૂપ છે. કહ્યું પણ છે -જ્ઞાનાવરણીયાદિ કર્મ અને શરીરાદિ નોકર્માજનિત ભાવને વિષે સાક્ષીરૂપે પ્રવૃત્તિ કરનાર અજ્ઞાનથી અનાવૃત્ત “આત્મપ્રભુ આત્મ-જ્યોતિ વડે સ્વયં કુરાયમાન થાય છે અર્થાત્ પિતાની જ્ઞાન-તિ વડે આમાં સ્વયં પોતાને અનુભવ કરે છે. * મધ્યમસાર; અનુમ -કો. ૨૯ થી . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy