SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ * ઉવસગ્ગહર – સ્તાત્ર ૪૭ હતા—એ રીતે શાસનદેવનું મહત્ત્વ જળવાઈ રહે છે અને ભગવાનને પ્રભાવ પણ પૂર્ણપણે અભિવ્યક્ત થાય છે. 5 (૪૨) અ. તા. જે (નામ- સ્મરણના કારણે) સમીપ હાવાથી સઘળા ઉપદ્રવાને દૂર કરનાર છે, ચાર ઘાતિકર્મથી મુક્ત થયેલા છે, જે સંસારરૂપી સર્પનું ઝેર મૂળથી નાશ કરે છે ( એટલે કે મિથ્યાત્વાદિ દ્વેષા દૂર કરે છે) અને જેઆ મંગલ તથા કલ્યાણના ધામરૂપ છે, તેવા શ્રીપાર્શ્વનાથને હું વંદન કરું છું. નામ:-‘વિસહર–કુલિંગ' મંત્રનું જેમાં ધરણેન્દ્ર-પદ્માવતી સહિત પ્રભુ પાર્શ્વનાથનું નામ છે તેનું જે કેઈ મનુષ્ય સદા રણુ કરે છે, તેના દુષ્ટગ્રહા, ( અનેકવિધ ) રોગો, મરકી અને દુષ્ટ (વિષમ ) જ્યરે શાંત થઈ જાય છે. આકૃતિઃ–તે મંત્ર બાજુએ રાખીએ ( તે પણ હે પાર્શ્વનાથ !) તમને કરેલા પ્રણામ ( તમારી મૂર્તિના કરેલા દર્શન ) બહુફલ આપનારા થાય છે. તેનાથી મનુષ્યની (ઘારમાં ઘાર ) પશુવૃત્તિ પણ શમી જાય છે અને કોઈપણ પ્રકારનું દુ:ખ કે દુર્દશા અનુભવતા નથી. દ્રવ્ય:- ચિન્તામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક શક્તિ ધરાવનારું તમારું સમ્યક્ત્વ પામવાથી જીવે સહેલાઈથી મુક્તિપદને પામે છે. ભાવઃ- આ રીતે હે પાર્શ્વજિનચન્દ્ર ! મેં તમારી સ્તવના ભક્તિભાવથી ભરપૂર હૃદયવડે કરી છે; તેા ભાવાભવમાં મને તમારું' સમ્યક્ત્વ મળજો. સંસાર બહાર પરમાત્માને ખેાળવા જવાના નથી. પરમાત્માને પાસે લેવાના, અનુભવવાના છે. જે પ્રાણના પણ પ્રાણ છે—એવા નિકટ પરમાત્માની શોધ કરવા બહાર શું કામ જવું પડે ? તેથી પ્રભુને પાસે લાવવા, અનુભવવાની જરૂર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy