SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ [૪] સલાહંતુ—સ્તોત્ર (૫૬) તા. - તમારા પિતાના શારીરિક સ્વાથ્ય માટે બાહ્યપ્રવૃત્તિ ઓછી કરવાનો વિચાર ઉચિત છે અને તે વિચાર પર દઢ રહેશે એવી આશા છે. શરીરની અનુકૂળતા અને ચિત્તની પ્રસન્નતા હોય, ત્યારે “સકલાહ” – સ્તોત્રના પ્રથમ બે લોક ઉપર તમે આજ સુધી જે વિચાર્યું છે તે જુદા કાગળ ઉપર લખી મેકલવા અવસર જોશે. આહત્ય, પ્રદિમહે, સમુપામહે વગેરે ઉપર તમારી સ્વયં સ્કુરણાઓ થયેલી છે તેની નેંધ હોય છે તે અને ન હોય તો નવી તૈયાર કરીને અનુકુળતાએ મોકલશો. આ અવસ્થામાં હવે માનસિક શાંતિ મેળવવા વધુ લક્ષ્ય આપશો. મનને અતિ પ્રિય વિષમાં સમય પસાર થાય તેવી યોજનાપૂર્વકનું જીવન ગઠવશે. અ. (૫૭) તા. ૧૩-૧૦-૬૩ પિંડસ્થ, પદ, રૂપસ્થ અને રૂપાતીતની યોગશાસ્ત્રમાં વિસ્તારથી વ્યાખ્યા મળે છે. તેવી જ રીતે આડકતરી રીતે નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવની દષ્ટાંતથી વ્યાખ્યા “સકલાહતમાં પ્રાપ્ત થાય છે, પણ તે દ્રષ્ટિએ ટીકાઓ રચાઈ નથી અને આપણું કેઈનું લક્ષ ખેંચાતું નથી. ચારેક વર્ષ પહેલાં મેં પં. શ્રીધુરંધરવિજયને આ કહ્યું હતું અને તેમને તે વિચાર બહુ ગમે પણ કાંઈ સહકાર આપી શક્યા નહીં એટલે તે વાત ત્યાં જ શમી ગઈ. હું એમ માનું છું કે “સકલાહત'ની પહેલી બે ગાથા દ્વારગાથા છે અને તે પ્રમાણે મથાળું બાંધીને દરેક લેક અનુક્રમે તેના ઉદાહરણ તરીકે આપ્યું છે. ત્રીજે કલેક “નામ”ના ઉદાહરણ માટે, ચોથે કલેક “આકૃતિના ઉદાહરણ માટે વગેરે. “તવાનુશાસનમાં ચતુર્થ અધ્યાયના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy