SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસંબંધન . [ ૮૧ માને, તે તે મોટો ભ્રમ છે, મેક્ષના સાચા કારણની તેને ખબર નથી; તેમ જ આસવસંવરની જુદાઈને કે જડ-ચેતનની જુદાઈને તે જાણતા નથી. ભાઈમોક્ષનું કારણ આસવથી ને જડથી જુદું છે; આસવ અને જડ શરીર તે કાંઈ સારભૂત નથી, તે તે અસાર છે; શુદ્ધોયગ જ સારભૂત છે ને તે જ મોક્ષમાર્ગ છે. ચોથાગુણસ્થાનથી પણ આવો જ એક્ષમાર્ગ હોય છે, કેઈ બીજી જાતને નથી હોતે. મુનિવરને પણ તાદિ સંબંધી જે રાગ છે તેને તું મેક્ષનું કારણ ન સમજ તેમના શુદ્ધોપગરૂપ વીતરાગભાવને જ તું મોક્ષમાર્ગ જાણુ. સમ્યગ્દષ્ટિપણું, શ્રાવકપણું, સાધુપણું કે કેવળીપણું તે કઈ પદ રાગમાં નથી, રાગને લીધે નથી; તે બધા શુદ્ધ આત્મામાં જ છે, ને શુદ્ધ આત્માના જ આશ્રયે છે. માટે હે જીવ! તું આત્મસન્મુખભાવથી આત્માને જાણીને....ને પરભાવોને છોડીને મોક્ષપુરીમાં આવ...એમ ભગવાન બેલાવે છે. –બાપુ! તારે આનંદમય મોક્ષપુરીમાં આવવું હોય તે વ્યવહારનો મોહ છોડને આત્મામાં જે. પુણ્ય તને મોક્ષમાં આવતાં અટકાવે છે માટે તેને છેડ. રાગની અપેક્ષા છોડીને, આત્માના વૈભવ સામે જોત-જોતે મેક્ષમાં હા આવ. જેમ શુદ્ધ આત્માને અનુભવ તે “સમયને સાર” છે, તેમ ઉપયોગની શુદ્ધ આત્મામાં એકાગ્રતા તે “યેગને સાર” છે, તેના વડે મોક્ષપુરીમાં પહોંચાય છે. શુભરાગ તે પહેલો ધર્મ....ને આત્માને અનુભવ તે બીજે ધર્મ !–એમ કઈ પૂછે, તે કહે છે કે ના; ભગવાને એમ બે જાતને ધર્મ નથી કહ્યો; ભગવાને કહેલે ધર્મ તો પહેલેથી છેલ્લે સુધી રાગ વગરને એક જ જાતને છે. રાગ તે ક્યારેય ધર્મ કે મોક્ષમાર્ગ છે જ નહીં. ' અરે, રાગના લેનિયા (એટલે વિષના લાલસુ) જીવોને વીતરાગ માર્ગની આ વાત અઘરી પડે છે....તેઓ તે કાયર છે. ને આ મોક્ષમાર્ગ..એ તે શૂરવીર-મુમુક્ષુઓને માર્ગ છે...રાગમાં અટકેલા કાયર છવો આ વીરમાર્ગમાં ચાલી શકતા નથી. પ્રશ્ન –મોક્ષના સાધક ધમનેય રાગ તે હોય છે? ઉત્તર––હોય છે, –પણ તે મોક્ષનો પંથ નથી; રાગ ઉપરાંત તેની પાસે રાગ વગરની ચેતના છે –તે જ તેને મેક્ષમાં લઈ જાય છે, રાગ કાંઈ મેક્ષમાં નથી લઈ ને. ' અરે, અનંતકાળના જન્મ-મરણને અભાવ કરવાને ભાવ, એ તે અપૂર્વ જ હોય ને! –એ તે કાંઈ રાગથી થઈ જાય? હે ભાઈ! જરાક વિચાર તે કર કે સંસાર-બ્રમણના અનંત અવતારમાં શુભરાગ શું નથી કર્યો? અનંતવાર કર્યો. તેમ છતાં તું સંસારમાં જ રહ્યો....હવે એ રાગથી પાર આત્માને અનુભવ કર...તે, મોક્ષપુરીમાં અનંત સિદ્ધ ભગવતેને જ્યાં વાસ છે...ત્યાં તું પહોંચીશ, ને નમો સિદ્ધાર્મ માં તું પણ આવી જઈશ. આ. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001511
Book TitleAtmasambodhan
Original Sutra AuthorYogindudev
AuthorHiralal Jain
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1982
Total Pages218
LanguageApbhramsa, Gujarati
ClassificationBook_Devnagari, Ethics, & Philosophy
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy