SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ [ ગસાર-પ્રવચન : ૨૧-૨૨ તારા પરમાત્મતત્વમાં પરમાણુને પ્રવેશ નથી ને કેઈ વિકલ્પ પણ તેનામાં નથી એમાં તે પરમ આનંદના ખજાના ભર્યા છે. તારા ચૈતન્યખજાનામાં ક્યાં બેટ છે કે તારે બીજાનું શરણું લેવું પડે ! શ્રોતા:- અરે પ્રભુ! પંચમકાળમાં આવી ઊચી વાત કરો છે! * ગુદેવ:–ભાઈ આત્મા પિતે એટલે પરમાત્મા છે એટલે એની વાત પણ ઊંચી જ હોય ને ! ઊંચી છે–પણ આ પંચમકાળમાંય તે અનુભવમાં આવી શકે તેવી છે. ભગવાને આ પંચમકાળમાંય ધર્મને સદ્ભાવ કહ્યો છે. પંચમકાળમાં થયેલા મુનિએ જાતે અનુભવીને આ વાત કરી રહ્યા છે. માટે કાળનું બહાનું કાઢીને પુરુષાર્થહીન ન થા. આ તે પુરુષાર્થ પ્રેરક વીર-વાણું છે....કે “આત્મા પરમાત્મા છે.” કેણ કહે છે આ વાણી? મુનિરાજ ગીન્દુ-જિન કહે છે. જેમાં ૧૪૦૦ વર્ષ પહેલાં આ ભરતક્ષેત્રમાં વિચરતા વનવાસી દિગંબર સન્ત હતા....અંદરમાં વિકલ્પ વગરના ચૈતન્યમાં વારંવાર ઉપગ જોડતા હતા...એવા ગી ભવભયથી ડરીને “ આમસંબોધન કરતાં કહે છે કે હે યેગી! હે સાધક ! હું આત્મા જ પરમાત્મા છું –એમ તું સ્વાનુભવથી જાણ....ને તેમાં એકાગ્ર થા. સાધકને પોતાનું પરમાત્માપણું પૂરું કરવા કાંઈ પર સામે જેવું નથી પડતું, અંદર ને અંદર પોતાના પરમાત્મસ્વરૂપમાં ઊતરીને તે પૂર્ણ પરમાત્મા થઈ જાય છે. પિતાના પરમાત્માણની આવી વાત સાંભળતાં શૂરવીર મુમુક્ષુને તે મોક્ષને સાધવાને પાનો ચડી જાય છે...વીતરાગતાનું શૂરાતન ઉલસે છે. જેમ દીર્ઘકાળે વહાલ, પુત્ર શ્રીકૃષ્ણને જોતાં દેવકી માતાને છાતીમાં દૂધની ધારા ઊછળે છે. શ્રીકૃષ્ણ પણ જાણું જાય છે કે હું આને પુત્ર છું..તેમ અત્યંત વહાલા ચૈતન્ય-પરમેશ્વરને પોતામાં જોતાં જ સાધકની ચૈતન્યપરિણતિમાં આનંદના દૂધની ધારા ઊછળે છે....ને “આ મારા ભગવાન' -એમ તે અનુભવી ત્યે છે. બસ, હે ગી! તું આવો અનુભવ કર....ને બીજા વિકપિ છેડીને તેમાં જ ચિત્તને સ્થિર કર. અંદર આત્મા પતે “શાંત રસને પિંડલે” છે.... તેમાં ઉપયોગ જડતાં જ બધા વિક છૂટી જશે ને પરમ આન દસહિત પોતાના પરમાત્માને સાક્ષાત્કાર થશે. [ આવડો મોટો ભગવાન આત્મા...તે બિરાજે છે કયાં? તેનું ક્ષેત્ર કેવડું? તે હુવેના બે દોહામાં બતાવશે. ] [૨૧-૨૨] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001511
Book TitleAtmasambodhan
Original Sutra AuthorYogindudev
AuthorHiralal Jain
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1982
Total Pages218
LanguageApbhramsa, Gujarati
ClassificationBook_Devnagari, Ethics, & Philosophy
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy