SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ wenn આત્મસાધન છે. [ ૬૧ જ અતીન્દ્રિય આનંદને અનુભવ કરશું....ને પરમાત્મા થઈને સિદ્ધાલયમાં સદાકાળ તેમની સાથે જ રહેશું. [ અહા, કહાનગુરુ! સિંહનાદ જેવી તમારી વિરહાક... એને પડઘા આ લખતાં-વાંચતાંય અમારા હૃદયમાં અત્યારે ગૂંજી રહ્યા છે. અમને “ભગ...વા...ના..આત્મા’ કહીને બોલાવતો તમારો એ રણકે... અત્યારે અમારી ચેતનાને ઉલ્લાસાવી રહ્યો છે.. ધન્ય તમારા ઉપકાર!...] ( ૧૯-૨૦) (9) પરમાત્મા જેવા નિજ આત્માને દેખવો. તે સર્વ સિદ્ધાન્તને સાર. [ સાધકના રણકાર એમાં સિદ્ધપદના ભણકાર ] जो जिणु सो अप्पा मुणहु इहु सिद्धतहं सारु । इउ जाणेविण जोइयही छंडहु मायाचारु ।।२१॥ जो परमप्पा सो जि हउं जो हउं सो परमप्पु । इउ जाणेविणु जोइया अण्णु म करहु वियप्पु ॥२२॥ જિનવર તે આતમ લખો—એ સિદ્ધાંતિક સાર; એમ જાણી યોગીજન, ત્યાગે માયાચાર. (૨૧) જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાતમ; એમ જાણું હે યોગીજન ! કર ન કાંઈ વિકલ્પ. (રર) હે ગીજને! જે જિન છે તે આત્મા છે એવા સિદ્ધાન્તના સારને તમે સમજો.... અને આમ જાણીને માયાચારને છોડો. જે પરમાત્મા છે તે જ હું છું, અને હું છું તે જ પરમાત્મા છે–આમ જાણીને હે યેગી ! તમે બીજા કેઈ વિકલ્પ ન કરે. જે ભગવાનને જીવ તે આ જીવ-વસ્તુપણે બંને જુદા પણ સ્વભાવ બંનેને સરખે; જીવ તે જિનજિન તે જીવ–આવા અનુભવમાં ચારે અનુગરૂપ જિનસિદ્ધાન્તને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001511
Book TitleAtmasambodhan
Original Sutra AuthorYogindudev
AuthorHiralal Jain
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1982
Total Pages218
LanguageApbhramsa, Gujarati
ClassificationBook_Devnagari, Ethics, & Philosophy
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy