SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસંબોધન | [ ૧૬૭ પંચમકાળેય આત્મામાં અતીન્દ્રિય આનંદ વરસે છે....અહા, દિગંબર સંતોએ પચમકાળમાં અમૃત વરસાવ્યા છે. (શ્રોતાઓ કહે છે – હે ગુરુદેવ! અત્યારે તે આપ અમૃત વરસાવી રહ્યા છે....) હે જીવ! આજે જ આવા આત્માને સ્વીકાર કરીને તેને અનુભવ કરી લે... અનંતકાળમાં મનુષ્યપણું ને તેમાંય આવો અવસર માંડમાંડ મળે છે.....તેને કાળ બહુ શેડો છે. તેમાં જીવે જે પિતાના આત્માને સમજવાની દરકાર ન કરી ને બીજે રોકાઈ ગયે.....તે કલયાણને આ કાળ ચાલ્યા જશે...ને મનુષ્યભવ એમને એમ પૂરો થઈ જશે ! ભવદુઃખોથી ડરનારા ને સંતે પ્રેમથી સંબોધન કરે છે કે હે ભાઈ! તું આત્માના અનુભવને ઉદ્યમ આજે જ કર...એનાથી જ તું ભવથી છૂટીને માને પામીશ. આત્માના અનુભવમાં રત્નત્રયનું તેમજ સર્વે ગુણેનું નિર્મળ પરિણમન સમાઈ જાય છે..... અનંતા ગુણને સ્વાદ તેમાં આવી જાય છે. જ્યાં ચેતન ત્યાં સર્વ ગુણ.” –માટે તેનું સેવન કરે. જગતમાં જે કોઈ સુંદરતા હોય, જે કઈ પવિત્રતા હોય તે બધી આત્મામાં ભરી છે. આવા સુંદર આત્માને અનુભવમાં લેતાં તેના સર્વે ગુણોની સુંદરતા પવિત્રતા એકસાથે પ્રગટે છે. એક સમયની પર્યાયમાં અનંત ગુણોને સ્વાદ ભેગે છે. તે અનુભવમાં એકસાથે સમાય છે; પણ વિકલ્પ કરીને એકેક ગુણની ગણતરીથી આત્માને અનંતગુણને પકડવા માંગે તે અનંતકાળેય પકડાય નહિ. એક આત્મામાં ઉપગ મૂકતાં તેમાં અનંતગણું ટ-પ્રગટ નિર્મળપણે અનુભવાય છે. હે ભાઈ, આવા અનુભવની હોંશ ને ઉત્સાહ કર. બહારની કે વિકલ્પની હોંશ છેડી દે –કેમકે તેનાથી ચૈતન્યગુણે પકડાતા નથી. ઉપગને બહારથી સમેટી લઈને નિશ્ચિતપણે અંતરમાં લગાવ.. જેથી તક્ષણ વિકલ્પ તૂટીને અતીન્દ્રિય આનંદ સહિત અનંતગુણસ્વરૂપ આત્માને અનુભવ થશે. સમયસારમાં કુંદકુંદસ્વામીએ એલે અધ્યાત્મરસ ભયે છે, તેની જ પરંપરાથી આ યોગસાર, પરમાત્મપ્રકાશ વગેરે અધ્યાત્મશાસ્ત્રો રચાયા છે. સમયસાર વગેરેની ટીકા દ્વારા અધ્યાત્મનાં રહસ્ય ખોલીને અમૃતના ધોધ વહેવડાવનાર અમૃતચંદ્રસૂરિ “પુરુષાર્થસિદ્ધિઉપાયમાં કહે છે કે આત્માને નિશ્ચય તે સમ્યગ્દર્શન, આત્માનું જ્ઞાન તે સમ્યજ્ઞાન અને આત્મામાં નિશ્ચલસ્થિતિ તે સમ્મચારિત્ર-આવા રત્નત્રય તે મોક્ષમાર્ગ છે અને તે આત્માને સ્વભાવ જ છે......તેનાથી બંધન થતું નથી. બંધન તે રાગથી થાય; રત્નત્રય તે રાગ વગરનાં છે, તેનાથી કર્મ બંધાતાં નથી, તે તે મોક્ષનું જ કારણ છે.–માટે મુમુક્ષુઓ અંતર્મુખ થઈને આવા મોક્ષમાર્ગને સેવ ને પરમ આનંદરૂ૫ પરિણમો! આજે જ આત્મા અનંતગુણધામ એવા પોતાને અનુભવ કરે. અહા! સર્વજ્ઞદેવને પર-સન્મુખતા વગર, સાનના સ્વચ્છ પરિણમનમાં કાલક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001511
Book TitleAtmasambodhan
Original Sutra AuthorYogindudev
AuthorHiralal Jain
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1982
Total Pages218
LanguageApbhramsa, Gujarati
ClassificationBook_Devnagari, Ethics, & Philosophy
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy