SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહરં સ્તોત્ર સ્વાધ્યાય આ વ્યાખ્યામાં પાર્શ્વયક્ષ, પદ્માવતી તથા ધરણેન્દ્ર પક્ષે થતા અર્થો દર્શાવાયા નથી. પરંતુ તે અર્થો બૃહદવૃત્તિથી જાણી લેવા ભલામણ કરાઈ છે. બૃહદવૃત્તિથી તેમને જિનપ્રભસૂરિકૃત વૃત્તિ અભિપ્રેત છે? કે જિનપ્રભસૂરિ પિતાની વૃત્તિમાં જે બૃહદવૃત્તિને નેધે છે તે બૃહદવૃત્તિ અભિપ્રેત છે તે સમજાતું નથી. જે તેમને શ્રી જિનપ્રભસૂરિ જે બૃહદવૃત્તિને નેધે છે તે બૃહદવૃત્તિ અભિપ્રેત હોય તો તેમાં પણ ઉવસગહરની ગાથાઓના ધરણેન્દ્ર પાર્શ્વયક્ષ અને પદ્માવતી પક્ષે થતા અર્થે કરાયા છે તે સિદ્ધ થાય છે. અને જે આમ હેય તે જિનપ્રભસૂરિકૃત વૃત્તિમાં જે આ રીતના અર્થોની વિશેષતા દેખાય છે તે તેમની પિતાની ન માનતાં બૃહદવૃત્તિકારની માનવી પડે, ગમે તે હોય પણ આ બૃહદવૃત્તિની પ્રાચીન ગ્રંથભંડારોમાં શોધ થવી આવશ્યક છે. આ વ્યાખ્યા પદના સમાસના વિગ્રહની દષ્ટિએ મહત્તવની છે. ૭. હર્ષકીતિસૂરિકૃત ઉવસગ્ગહરં વ્યાખ્યા આ વૃત્તિ પણ વિ. સં. ૧૯૮૯માં દે. લા. જે. પુ સંસ્થા તરફથી તેના ૮૧માં ગ્રંથાક તરીકે પ્રસિદ્ધ થયેલ “અનેકાર્થ રત્નમંજૂષા” નામક ગ્રંથમાં પ્રકાશિત થએલ છે. કયાંક કયાંક ગૂઢાર્થોનું સ્પષ્ટીકરણ એ આ ટીકાની વિશેષતા છે. ૮. સમયસુંદરવાચકૃત ઉવસગ્ગહરવૃત્તિ આ વૃત્તિ વિ. સં. ૧૯૯૯માં જિનદત્તસૂરિ પ્રાચીન જૈન પુસ્તક દ્વા૨ ફંડ, સુરત તરફથી મુદ્રિત કરાયેલ “સપ્તસ્મરણસ્તવ' નામક ગ્રંથના પૃ. ૪૬થી પૃ. ૫૧ ઉપર પ્રકાશિત કરાયેલ છે. આ વૃત્તિ જિનપ્રભસૂરિકૃત અર્થકપલતાના અનુસાર રચી હોવાનું ગ્રંથકર્તાએ પિતે જ જણાવેલ છે. આ વૃત્તિની વિશેષતા અઢાર અક્ષરના મંત્રને અાવીસ અક્ષરને કેવી રીતે કરવું તેનું સ્પષ્ટીકરણ કરાયું છે તે છે. તેમાં તવ બીજથી અગ્નિ વાયુ અને આકાશ એ ત્રણ તો ગણી તેને બીજે અગ્નિબીજ “કાર” વાયુબીજ “વા” અને આકાશબીજ “હા” ગણાવાયાં છે અને પ્રારંભમાં શ્રેલયબીજ, કમલાબીજ અને અબીજ મૂકવાનું કહેવાયું છે ( 3ષ્કાર મૂકવાનું કેમ સૂચવાયું નથી તે વિચારણીય છે કદાચ તે લખવો આવશ્યક નથી તેમ માની તેને લખાયે નહીં હોય,) એટલે નીચે મુજબ મંત્ર થાય છે. (ॐ) ही श्री अ है न मि ऊ ण ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ व स ह जि ण फुलि ग ॐ पा स वि स ह र ૨૫ ૨૬ ૨૭ ૨૮ न मः स्वाहा । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001510
Book TitleUvassaggaharam stotra Swadhyay
Original Sutra AuthorBhadrabahuswami
AuthorAmrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1971
Total Pages276
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Stotra, & Occult
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy