SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ -: ૯૦ : ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય [૧૦] ૨૬ ૩ નવકાર મહામંત્રની આરાધના અને ઉવસગ્ગહર સ્તોત્ર નવકાર મહામંત્રમાં દર્શાવેલા પાંચ પરમેષ્ઠિની-અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તેમની-આરાધના સાધકને શા શા ફલ આપે છે તેનું વિશદ વિવેચન શ્રી માનતુંગસૂરિ રચિત “નવારવાર થવ' નામક રસ્તોત્રમાં કરવામાં આવ્યું છે. ત્યાં જણાવાયું છે કે અરિહંતની આરાધના બેચરપદવી અને મોક્ષ-આ બે વસ્તુને આપનાર છે; જ્યારે સિદ્ધની આરાધના શૈલોક્યવશીકરણ અને મેહન- આ બે વસ્તુને આપનાર છે. આચા Kની આરાધના જલ-જવલન આદિ સે ભયનું સ્થાન કરે છે. ઉપાધ્યાયની આરાધના આ લેકને લાભ કરનાર અને સર્વ ભયનું નિવારણ કરનાર છે. સાધુની આરાધના પાપોનું ઉચ્ચાટન, મારણ અને તાડન આદિ કર્મોને કરે છે. ઈહલૌકિક પદાર્થોને લાભ કરનાર ઉપાધ્યાયની આરાધના છે પરંતુ તે આરાધના કેવી રીતે કરવી ? તે સવાલ અવશ્ય ઉઠે છે. તેના સમાધાનમાં ભક્તિભર સ્તોત્રના ટીકાકાર (નમસ્કાર વ્યાખ્યાન ટીકાકાર) જણાવે છે કે ચોવીસ તીર્થંકરો પૈકી જે તીર્થકરો વેત છે તેમની આરાધના અરિહંતની આરાધના છે, જે તીર્થ"કરે રક્ત વર્ણન છે તેમની આરાધના સિદ્ધની આરાધના છે, જે તીર્થકરે કનક વર્ણના છે તેમની આરાધના આચાર્યની આરાધના છે, જે તીર્થકરો મરકત વર્ણના (નીલ વર્ણના) છે તેમની આરાધના ઉપાધ્યાયની આરાધના છે અને જે તીર્થકર શ્યામ વર્ણના છે તેમની આરાધના સાધુની આરાધના છે. ઉપાધ્યાયની આરાધના માટે મરકત વર્ણવાળા શ્રી પાર્શ્વનાથ ભગવંતની આરાધના ઈષ્ટ મનાય છે. તેમની આરાધના માટેનું સ્તોત્ર તે શ્રી “ઉવસગ્ગહર” તેત્ર છે. તે દ્વારા થનાર ફળ તરીકે સર્વ ભોને નાશ તથા ઈહલૌકિકલાભ-આ લેકના પદાર્થોને લાભ છે, જે ક્રમશઃ “ઉવસગ્ગહર' તેત્રની બીજી ગાથાના ત્રીજા તથા ચોથા ચરણ- “તણ કરો. માઈ, સુક્ષરા નંતિ કવસામ”-દ્વારા તથા ત્રીજી ગાથાના બીજા ચરણના “વસુર હો'પદ દ્વારા દર્શાવેલ છે. [૧૦] ૨૭ વિસદરઢિામંતં પદની વિશિષ્ટ વ્યાખ્યા: વિસહર લિંગ” એટલા સંકેત માત્રથી જે મંત્ર સૂચવાયે છે તે મંત્રને દર્શાવતું તેત્ર “રમિકન” તેત્ર છે. નમઝા તેત્રમાં પણ તે મંત્ર તદ્દન સ્પષ્ટ રીતે સૂચવાયે નથી. પરંતુ તે મંત્રને વિપ્રકીર્ણક્ષરી પદ્ધતિથી ગુપ્ત રખાય છે અને કહેવાયું છે કે આ તેત્રની મધ્યમાં અઢાર અક્ષરને જે મંત્ર છે તેને જે જાણે છે તે પરમ પદમાં રહેલા શ્રી પાર્શ્વનાથનું ફુટ રીતે ધ્યાન કરી શકે છે. અર્થાત્ તેનું જ્ઞાન પણ સર્વ કેઈને થવું સુલભ નથી. પાછળથી આચાર્યશ્રી માનતુંગસૂરિની પરંપરામાં થયેલ અન્ય આચાર્યો દ્વારા તે મંત્રને જુદા જુદા તેત્રોમાં ૨૫ણ પ્રગટ કરવામાં આવ્યો જે આજે પણ પ્રાપ્ય છે. પરંતુ તે મંત્ર પ્રાકૃત ભાષામાં છે, તેની આગળ શીર્ષક તરીકે પ્રણવ તથા તે સાથે બીજાક્ષરો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001510
Book TitleUvassaggaharam stotra Swadhyay
Original Sutra AuthorBhadrabahuswami
AuthorAmrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1971
Total Pages276
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Stotra, & Occult
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy