SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહરં સ્તોત્ર સ્વાધ્યાય આ સ્તંત્ર દ્વારા સ્તવનીય દેવાધિદેવ ભગવાન પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ છે. આ તેત્રના પ્રણેતા ભદ્રબાહુસ્વામી શ્રી ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીરની પાટ પરંપરામાં થયેલા હતા. તેમણે શ્રમણ ભગવાન મહાવીરની સ્તવના દ્વારા તેત્ર ન બનાવતાં પુરુષાદાનીય ભગવાન શ્રી પાર્શ્વનાથની સ્તવનાને જ આમાં કેમ સમાવિષ્ટ કરી ? એ શંકા થવી સ્વાભાવિક છે. પરંતુ તેનું સમાધાન એ જ હોઈ શકે કે ભગવાન શ્રી પાર્શ્વનાથ અન્ય તીર્થકર ભગવંતે કરતાં નિરાળા, વિશિષ્ટ તથાભવ્યત્વવાળા હતા તથા જેમના અધિષ્ઠાયક દેવો અનેક હોય તેવા હતા તેથી જ આ સ્તોત્ર દ્વારા તેમની સ્તવના કરવામાં આવી. આ તેત્રની પાંચ ગાથામાં ક્રમશઃ નીચેના વિષયે સમાવાયા છે. વંદન, મંત્રમહિમા, પ્રણામમાહાતમ્ય, ઉપદેશાનુસાર આચરણનું ફળ અને યાચના. પ્રથમ ગાથામાં જુદા જુદા વિશેષણો દ્વારા પરમેશ્વર શ્રી પાર્શ્વનાથને વંદન કરાયું છે. બીજી ગાથામાં તેમના નામથી અધિષ્ઠિત “વિસહર કુલિંગ' મંત્રના પાઠથી શા શા ફે પ્રાપ્ત થાય છે તે જણાવાયું છે. ત્રજી ગાથામાં તે પરમેશ્વર દેવાધિદેવને પ્રણામ કરવા માત્રથી થતાં અત્યભુત ફલે વર્ણવાયાં છે. ચેથી ગાથામાં તે પરમેશ્વરે ઉપદેશેલ સમ્યકત્વ ધર્મનું પાલન નિઃશ્રેયસ પદ પર્વત લઈ જાય છે તે દર્શાવાયું છે. પાંચમી ગાથામાં પુનઃ ભગવાન શ્રી પાર્શ્વનાથને જુદા જુદા વિશેષણોથી સ્તવી તેમની સમક્ષ એક જ પ્રાર્થના કરવામાં આવી છે અને તે પ્રત્યેક ભવમાં જિનધર્મની પ્રાપ્તિની. આ સ્તોત્ર દ્વારા નથી કરાઈ કઈ ઈહલોકના ફલની સ્પૃહા કે નથી કરાઈ કઈ પરલોકમાં પ્રાપ્ત થનારા દેવ-દેવેન્દ્ર આદિ પદેની કામના. માત્ર એક જ યાચના છે અને તે શ્રી જિનધર્મપ્રાપ્તિની. એટલે આ સ્તોત્ર સ્તવનીયની સ્તુતિરૂપ તેત્રના લક્ષણોથી પરિપૂર્ણ છે. આ તવના રચયિતા યુગપ્રધાન-ચૌદપૂર્વધર ભદ્રબાહુ સ્વામી હોવાથી એ સવાલ થાય છે કે શું આવા મહાપુરુષો પણ મંત્રનો ઉપયોગ કરતા હતા ? અને આ રીતને ઉપયોગ કરે તે શાસ્ત્રમર્યાદાથી વિરુદ્ધ નથી ? આનું સમાધાન એ છે કે-જિનશાસનની રક્ષા તથા પ્રભાવનાના કારણે આ મંત્રને ઉપગ શાસ્ત્રવિરુદ્ધ નથી પરંતુ તે ઉપયોગ કરનારાને જિનશાસનના પ્રભાવક કહેવામાં આવ્યા છે અને સમયે સમયે પૂર્વપુરુષેએ આવો ઉપયોગ કર્યાના પ્રસંગે શાસ્ત્રમાં નોંધાયા પણ છે. આધ્યાત્મિક તથા આધિભૌતિકનિવૃત્તિદાયકતા – આ તેત્ર આધ્યાત્મિક નિવૃત્તિ આપનાર છે તેમ જ આધિભૌતિક નિવૃત્તિ પણ આપનાર છે એવું સ્પષ્ટીકરણ જિનપ્રભસૂરિકૃત ટીકાના નિમ્નત વચનથી થાય છે. ૧ વિજ્ઞાસિદ્ધ શરું કે વ વમવા મળિયા સમ્યફ સપ્તતિ ગા. ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001510
Book TitleUvassaggaharam stotra Swadhyay
Original Sutra AuthorBhadrabahuswami
AuthorAmrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1971
Total Pages276
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Stotra, & Occult
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy