SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય चिढउ दूरे मंतो : ઉપર્યુક્ત ગાથામાં દર્શાવેલ મંત્રની સાધના સર્વ કઈ કરી શકતા નથી કારણ કે તે માટે સત્ત્વની-ધર્યની આવશ્યકતા છે. તદુપરાંત મંત્રસાધનામાં ઉપયોગી અનુષાને પણ કરવાનાં હોય છે. આ કર્યા પછી પણ કોઈ ભાગ્યવાન સાધક ઉપર જ મંત્રના અધિછાયક દેવ પ્રસન્ન થાય છે અને તેને ઈચ્છિત ફળ આપે છે. સહુ કેઈમાં આવું સત્વ , વૈર્ય કે અનુષ્ઠાન કરવાની અનુકૂલતા ન હોઈ શકે તેથી મંત્ર તે કેવળ સામર્થ્યવાન વ્યક્તિઓ માટે જ કાર્યસાધક પૂરવાર થાય. જો આમ થાય તે તે સિવાયની વ્યક્તિઓ માટે પણ કેઈ સુગમ માર્ગ આવશ્યક છે, તેથી તેત્રકારે જણાવ્યું કે મંત્રને એક બાજુએ રાખીએ તે ય તમને કરેલો પ્રણામ પણ બહુ ફલદાયક છે. પ્રણામ અહીં “પ્રણામ” શબ્દ ઉપયોગમાં લેવાય છે જે સૂચક છે. કમ થી નિષ્પન્ન થયેલ આ શબ્દમાં ક ઉપસર્ગને થયેલે ઉપયોગ પ્રકૃણ અર્થને જણાવે છે એટલે કે પ્રકૃષ્ટ કેટિને નમસ્કાર. પ્રકૃષ્ટ નમસ્કાર એટલે “આ અપાર અને ઘર સંસારસાગરમાં આમથી તેમ અથડાતા અનંતાનંત જીવો કે જે અનાદિકાલથી માર્ગદર્શકના સંયોગના અભાવે સંસારસાગરના તીરને પામી શકતા નથી અને જેમનાં વિવેકલોચનો મેહના વેગે બીડાઈ ગયાં છે. તેમને જે કોઈ સત્ય માર્ગ દર્શાવનાર હોય અને સંસારસાગરથી પાર ઉતારનાર હોય તે તે શ્રી જિનેન્દ્ર ભગવંતે જ છે. નિખિલ વિશ્વમાં તેના સમાન કઈ જ તારક નથી અને કઈ જ શરણ નથી, તેમણે જે કંઇ પ્રરૂપ્યું છે, જે કંઈ દર્શાવ્યું છે, જે કંઈ ઉપદેશ્ય છે તે જ સત્ય છે તે જ શંકા વિનાનું છે અને કપાતે પણ તેમાં પરિવર્તન થનાર નથી, આવી શ્રદ્ધાપૂર્વક, ‘હું ધન્ય છું, કૃતપુણ્ય છું કે આ અપાર ભવસમુદ્રમાં મને ભગવંત શ્રી જિનેન્દ્રની વન્દના કરવાને સુગ સાંપડ્યો! આવા ભાવોલ્લાસથી તે પરમ નિસ્વારકને કરાયેલ નમસકાર તે પ્રકૃષ્ટ નમસ્કાર છે અને તે જ વાસ્તવિક પ્રણામ છે. ‘વ’ નો અર્થ :– અહીં “giામો વિ' પદમાં “વિ' શબ્દનો પ્રયોગ કરાય છે. “વ” ને અર્થ છે “પણ.” એટલે પ્રણામ પણ બહુ ફલદાયક છે. અર્થાત્ તમારી આજ્ઞાનું પાલન, તમારું પૂજન વગેરે તે બહુફલદાયક છે જ પણ તમને કરેલો પ્રણામ પણ બહુફલદાયક છે, એ “વિ’ને ગૂઢાર્થ છે. આ રીતના કથન દ્વારા પ્રણામની અત્યધિક મહત્તા સૂચવાય છે. પ્રણામ શબ્દને એકવચન :– અહીં “પ્રણામ” શબ્દને એકવચન લગાડેલ છે એટલે તેને અર્થ એક પ્રણામ પણ બહુફલદાયક છે એવો થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001510
Book TitleUvassaggaharam stotra Swadhyay
Original Sutra AuthorBhadrabahuswami
AuthorAmrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1971
Total Pages276
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Stotra, & Occult
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy