SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય : ૪૫ : નગરીમાં અશ્વસેન રાજાના કુલમાં વામાદેવીની કુક્ષિમાં અવતર્યો. તેમની માતાના ઉદરમાં સ્થિતિ હતી તે દરમ્યાન, એક ગાઢ અંધકારભરી રાતે શય્યામાં સુખપૂર્વક સૂતેલા પ્રભુની માતાએ ઘનઘોર અંધકારમાં પણ પિતાની પાસે થઈને જતા કૃષ્ણ સર્પને જે અને આ રીતના સદર્શનથી આશ્ચર્યાન્વિત બનેલા તેમણે આ વાત શ્રી અશ્વિન રાજાને કરી. ગાઢ અંધકારમાં આ રીતનું સર્પદર્શન શક્ય જ ન હતું પણ ગર્ભમાં પધારેલા ત્રિજગદગુરુના મહામહિમાવંત પ્રભાવથી જ આ બન્યું હોવાની ભગવંતના પિતાને ખાત્રી થઈ અને તેથી ભગવંતના જન્મ પછી જયારે તેમના નામકરણને પ્રસંગ આવ્યું ત્યારે પૂર્વોક્ત ઘટનાને લક્ષ્યમાં રાખી, તે ઘટનાને અનુરૂપ (પાસે થઈને જતા સપને જે માટે પાશ્વ) “પા” એવું તે ત્રિજગદગુરુનું નામ સ્થાપવામાં આવ્યું અને ત્યારથી તેઓ પાર્થે” નામથી ઓળખાયા. ઉપરાંત તેમની આદેતા લોકમાં અન્ય તીર્થક કરતાં વધુ અને દીર્ઘકાલ પર્યંત રહી તેથી તેઓ પુરુષાદાનીય (પુરુષમાં ઉત્કૃષ્ટ આદેય નામકર્મવાળી કહેવાયા. विसहरविसनिन्नास વિપરિનિર્વારા રૂપી ગુણ એ શ્રી પાર્શ્વનાથ ભગવંતની અનુપમ વિશિષ્ટતા છે. તેઓશ્રી કર્મોથી રહિત હોવા ઉપરાંત વિષધરોના વિષના નાશક પણ છે. અહીં વિષધર શબ્દથી મુખ્યત્વે દ્રવ્યવિષધરે એટલે ઝેરી સર્પો લેવાના છે. જો કે ભાવવિષધરે-રાગાદિ વિષધર-પણ લક્ષ્યાર્થથી ગ્રાહ્ય થઈ શકે. “વિષધરોના વિષને નાશ કરનારા” એટલું વિશેષણ જ માત્ર પર્યાપ્ત નથી. કારણ કે જેને વિષધરનો ઉપદ્રવ ન થયે હેય તેને માટે શ્રી પાર્શ્વનાથ ભગવંત શી વિશેષતા ધરાવે છે? એ પ્રશ્ન બાકી રહે છે. માટે તરત જ “મંાસ્ટટ્ટાબાવા” વિશેષણ મૂકવામાં આવ્યું છે. મંઢાળગાવાઈ” વિશેષણની આવશ્યકતા – શ્રી પાર્શ્વનાથ ભગવંત વિપત્તિઓનું ઉપશમન (મંગલ) તથા સંપત્તિઓનો ઉત્કર્ષ (કલ્યાણ) કરનારા છે. કલ્યાણનો બીજો અર્થ આત્મહિત પણ થાય છે. ચાહે, આવી પડેલી વિપત્તિઓને દૂર કરવી હોય, ચાહે સંપત્તિઓને ઉત્કર્ષ કરો હેય. બંનેના કારણભૂત શ્રી પાર્શ્વનાથ ભગવંત જ છે. આ વિશ્વમાં વિદ્યમાન કોઈ પણ સંસારી જીવને અનુલક્ષીને વિચાર કરીએ તે કાં તો તે આવી પડેલી વિપત્તિ હૂર કરવા ચાહે છે અને જે તેને વર્તમાનમાં વિપત્તિ ન હોય તે ભવિષ્યમાં વિપત્તિ આવે નહીં તેની તેને ખેવના હોય છે અને સંપત્તિ (પછી ભલે તેની મનની માનેલી ગમે તે હેય) વૃદ્ધિ પામે અને આવેલી સંપત્તિ ટકી રહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001510
Book TitleUvassaggaharam stotra Swadhyay
Original Sutra AuthorBhadrabahuswami
AuthorAmrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1971
Total Pages276
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Stotra, & Occult
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy