SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-પ ગચ્છ સચાલકો જેમ લૌકિક રાજ્યના સંચાલન માટે રાજા, પ્રધાન, સેનાધિપતિ વગેરેની જરૂર રહે છે તેમ લેાકેાત્તર રાજયના=ગચ્છના સ'ચાલન માટે આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગણાવચ્છેદક એ પાંચની જરૂર રહે છે. આ પાંચમાં આચાર્ય સર્વાપરિ છે. આમ છતાં આચાર્ય મહત્ત્વના પ્રસંગેામાં ઉપાધ્યાય વગેરેની સલાહ લઇને કાર્ય કરે છે. આચાર્યનાં મુખ્ય ત્રણ કામેા છે. (૧) સાધુઓને સૂત્રના અર્થની વાચના આપવી. (૨) જૈનશાસનની રક્ષા અને પ્રભાવના કરવી. શાસન ઉપર આપત્તિ આવે ત્યારે તેના સામના કરવાની જવાખદારી મુખ્યતયા આચાર્યની છે. (૩) સારણા, વારણા આદિ દ્વારા સાધુએના સંયમની રક્ષા અને વૃદ્ધિ કરવી. આ ત્રણ કાર્યાં ખરેાબર થાય એટલા માટે આચાય ગુચ્છનાં અન્ય કાર્યો ખીજાઓને—ઉપાધ્યાય વગેરેને સોંપે છે. ઉપાધ્યાયનાં મુખ્ય એ કામેા છે. (૧) સાધુઓને વિનીત મનાવવા. (૨) સાધુઓને સૂત્રની વાચના આપવી. પ્રવર્તકના મુખ્ય એ કામા છે. (૧) સાધુઓને ચેાગ્યતા-શક્તિ પ્રમાણે તે તે કાર્યમાં પ્રવૃત્તિ કરાવવી. (૨) તે તે સબ‘ધી શિક્ષા આપવી. સ્થવિરનાં મુખ્ય એ કામેા છે. (૧) સાધુએમાં રાગ-દ્વેષથી થતા અગડાનું નિરાકરણ કરવું. (ર) સંયમમાં ઢીલા ખનેલા સાધુઓને સ્થિર કરવા. શાસ્ત્રમાં સ્થવિર માટે કયાંક કયાંક રત્નાધિક’ શબ્દના પ્રયાગ પણ જોવામાં આવે છે. ગણાવòદકના મુખ્ય બે કામ છે. (૧) સાધુએની જુદી જુદી ટુકડીએ પાડીને ભિન્ન ભિન્ન પ્રદેશમાં વિહાર કરાવવે. (૨) કયા સાધુને કઈ ટુકડીમાં રાખવા તેની વ્યવસ્થા કરવી. કા ગચ્છમાં આ પાંચ ઉપરાંત વૃષભ સાધુને પણ ઉલ્લેખ છે. જે શરીરથી મળવાન, ધીર અને ગીતા હેાય તેને વૃષભ કહેવામાં આવે છે. વૃષભનાં મુખ્ય ત્રણ કામા હોય છે. (૧) સમુદાય માટે વસ્ત્ર, પાત્ર વગેરે મેળવવુ. (૨) ચાતુર્માસ કે માસકલ્પને ચેાગ્ય ક્ષેત્રની પ્રતિલેખના કરવી. (૩) વિહાર વગેરેમાં સાધુએનું તેમજ સાધ્વીઓનું રક્ષણ કરવું. પરિશિષ્ટ-૬ ચેાગના ત્રણ ભેદ યાગગ્રન્થામાં ચેાગના ઈચ્છા, શાસ્ત્ર અને સામર્થ્ય' એમ ત્રણ ભેદ કહ્યા છે. (૧) જેણે આગમનુ' શ્રવણ કયુ' છે એવા જ્ઞાનીના પૂર્ણ ધર્મ કરવાની ઈચ્છા હોવા છતાં પ્રમાદના યેગે અપૂણ ( અતિચારાદિથી ખામીવાળા ) ધર્મ વ્યાપાર ઇચ્છાચેગ છે. આમાં ઇચ્છાની પ્રધાનતા છે, શાસ્રની નહિ. કારણકે ધર્મક્રિયાએ સપૂર્ણ શાસ્ત્રાક્ત વિધિ મુજબ થતી નથી. (૨) સ્વસ'વેદનાત્મક શ્રદ્ધાવાળા અને પ્રમાદ રહિત જીવના શાસ્ત્રના સૂક્ષ્મમાધથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy