SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्वविनिश्वये तृतीयोल्लासः ] LLL संबद्धं भवति, भावकारणताया एव द्रव्यपदार्थत्वात्, कार्यकारणभावस्य च कथचिदविश्वग्भाव વ. સમયાત્ ॥૪॥ પણ લિંગને વંદન કરવામાં ઉપર કહી તે નીતિ (ઘટતી) નથી, કિન્તુ ભેદ છે એ વાત જણાવે છે : ભાવસાનુ' લિંગ (વેષ) પ્રધાન દ્રવ્યત્વના કારણે સ્થાપનાથી પણ સમ્યક્ વિશેષતયા વંદનીય છે. કારણ કે પરમાથી વિચારતાં સમજાય છે કે તેનુ પ્રધાન દ્રવ્યત્વ ભાવમાં એતપ્રોત=એકમેક રહેલુ છે. (ન્યાયની ભાષામાં કહેવું હાય તા પ્રધાન દ્રવ્યત્વ † ભાવમાં (કાયમાં) સમવાય સ`ધથી સંબદ્ધ છે, અર્થાત્ જેમ ઘટમાં ઘટત્વ .જાતિ - સમવાય સંબધથી સમૃદ્ધ છે, તેમ સ`બદ્ધ છે.) અહી' એમ સમજવાનુ` છે કે જે ભાવનુ કારણ અને તે જ દ્રવ્ય કહેવાય, એવી દ્રવ્યપદની વ્યાખ્યા છે. તથા જે કાય અને કારણુ કથ'ચિત્ અભિન્ન હાય તા જ કાયરૂપ ભાવમાં તેનું (દ્રવ્યનુ) કારણપણુ’,, ઘટી શકે, અર્થાત્ ભાવ સાથે દ્રવ્યત્વ રહેલુ* હાય તા જ તે ભાવનું કારણ મનવાથી દ્રવ્યત્વ કહેવાય. આવું ભાવમાં સાથે રહેલું દ્રવ્યત્વ સાધુવેષમાં છે. આથી જ સાધુલિંગને સ્થાપનાથી પણ વિશેષતયા વંદનીય કહ્યુ' છે. (અહીં એમ સમજવાનુ` છે કે- તીથ કર પાતે ભાવરૂપ છે, અને તેમની સ્થાપના—પ્રતિમા ભાવથી (તીર્થ”કરથી) અલગ—દૂર છે. ભાવસાધુમાં તા ભાવસાધુ પાતે ભાવ છે અને તેનુ' લિંગ જે દ્રવ્યરૂપ છે તે સાધુથી (ભાવથી) દૂર નથી પણ સાધુની સાથે જ છે. આમ સ્થાપના ભાવથી દૂર હૈાય છે અને સાધુલિંગ સાધુની (ભાવની) સાથે જ હોય છે. માટે સ્થાપનાથી સાધુલિ ́ગ રૂપ વેષ પ્રધાન દ્રવ્ય છે, અને એથી વિશેષ પૂજય છે એમ કહ્યું છે.) આમ સાધુને વ ́દન કરવામાં તેનું લિંગ (વેષ) નજીક (સાથે) હેાવાથી સ્થાપનાથી પણ તે પ્રધાનપણે સવિશેષતયા વ'દનીય છે. પ્રસ્તુત પાર્શ્વ સ્થાદિના વંદન અવ'દનમાં જે વિચાર ચાલે છે, તેમાં તે પા સ્થાદિમાં ચારિત્રરૂપ ભાવને અભાવ હાવાથી તેના લિંગમાં (વેષમાં) તાત્ત્વિક દ્રવ્યત્વ છે જ નહિ, માત્ર તેમાં અપ્રધાન દ્રવ્યત્વ જ છે. (અહી' એમ સમજવાનુ છેકે દ્રવ્ય ત્વના પ્રધાન અને અપ્રધાન એમ બે ભેદ છે. તેમાં જે દ્રવ્યત્વ ભાવમાં(=ભાવની સાથે) રહેલુ હાય તે પ્રધાન અને જે ભાવમાં (ભાવની સાથે) ન રહે તે અપ્રધાન. ભાવસાધુમાં ભાવ (ચારિત્ર) હેાવાથી તેની સાથે રહેલું દ્રવ્યત્વ પ્રધાન છે, અને પાર્શ્વ સ્થાદિમાં ભાવ (ચારિત્ર) ને જ અભાવ હાવાથી તેનું લિંગ ભાવથી ભિન્ન છે, તેથી તે અપ્રધાન છે. પ્રધાન દ્રવ્યત્વ મનઃશુદ્ધિ વગેરેનું કારણ બને છે, અપ્રધાન દ્રવ્યત્વ કારણુ ખનતું નથી.) આમ પાશ્વ સ્થાદિનુ' લિગ જિનપ્રતિમાની જેમ મનઃશુદ્ધિ આદિનું કારણ નથી, અને તેથી તે વ'કનીય નથી. [૧૯૪] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy