SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પણ આવા ને ધર્મ વગેરે આપે છે તે જ પોતાની વકતાજડતાના કારણે ધર્મને જ દૂષિત કરે છે, વગેરે છે. દેવ-ગુરૂ-ધર્મની અવહેલના આશાતના કરશે. અને હાંસી કરાવશે. પોતાની દંભી વૃત્તિના કારણે ધર્મને હલકો દેખાડશે. ધર્મથી એવા જીનું ભલુ નહીં થાય પરતુ એવા જીવાથી ધર્મ વિકૃત બનશે. બગડશે. માયા મેહનીય કર્મના ઉદયે માયાપણું અને જ્ઞાનાવરણીય કર્મના ઉદયે મૃષાવાદીપણું એમ બન્ને ઉદયમાં આવતા જીવ માયા મૃષાવાદી પ્રકૃતિવાળે બને છે. જ્ઞાનાવરણીય કર્મના ઉદયે અજ્ઞાન ઉદયમાં આવેલ છે. તે વિષયને અજાણ અજ્ઞાની છે. પરંતુ સામે માયા પ્રબલ પણે પડી છે. એટલે હું નથી જાણત, મને નથી આવડતુ છતાં પણ માયા–દંભશઠતાના સ્વભાવના કારણે તરત જ ખોટુ બોલી નાંખવા પ્રયતન કરે છે. આવા જ માયાવી નાટક કરીને એટલી ઝડપથી મૃષાવાદ સેવે છે કે સામેવાળાને ગંધ પણ ન આવે. ખ્યાલ પણ ન આવે કે આ ખોટું બોલે છે. માટે માયા મૃષાવાદીની માયા જાળમાં ઘણાં જ ફસાઈ જાય છે. ભેળા–ભટ્રિક સરળ સ્વભાવી માયાવીની ચાલને પારખી નથી શકતા અને એની માયા જાળમાં ફસાઈ જાય છે. માયાવી ને સાચુ-વાસ્તવિક કંઈ જ નથી કરવું. એને જે કરવું છે તે બધુ કૃત્રિમ જ કરવાનું છે. માટે જેમ સાચા સેનામાં અને બેટા બનાવેલા બનાવટી સેનામાં જેનાર સીધા સાદા માણસને જેમ તફાવત નથી દેખાતો તેવી જ રીતે માયામૃષાવાદી જીવ સ્વયં સાચે ધમી ન હોવા છતાં પણ ધમી હોવાનો બનવાને સ્વાંગ કૃત્રિમ રીતે પણ એટલો વ્યવસ્થિત રચશે કે એના જેવો સાચે– સારો ધમી બીજે કઈ લાગશે પણ નહીં. અને દેખાશે પણ નહીં. જેમ એક સ્ત્રી સ્વયં સ્વરૂપવતી નથી પણ સૌંદર્ય પ્રસાધનો અને મેકઅપ આદિ દ્વારા રૂપ-સૌંદર્ય સજીને સૌંદર્યવતી રૂપવતી દેખાય છે. તેમાં વાસ્તવિક્તા ના સ્થાને કૃત્રિમતાને સ્પષ્ટ ખ્યાલ આવે છે તેવી જ રીતે માયામૃષાવાદી વાસ્તવમાં ધમી પણ નથી હોત અને ભક્તિ કરનાર સાચે ભક્ત પણ નથી હોત પરન્તુ માયાવી નાટક રચીને તે ધમી અને ભક્તપણાને દેખાવ કરશે. પરંતુ તેમાં કૃત્રિમતા સ્પષ્ટ દેખાશે વાસ્તવિક્તાને સ્પર્શ પણ નથી હોતું. આ કૃત્રિમતા મેકઅપ જન રૂપ–સોંદર્યની જેમ વધુ ટક્તા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001504
Book TitlePapni Saja Bhare Part 19
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy