SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૯ માટે સ્વભાવમાં સરળતા લાવવી જોઈએ. સરળતાના અર્થ છે. શ વૃત્તિના ત્યાગ કરવો. માયા કપટના ત્યાગ કરવો. બીજી ખાજુ મનની વિચારણા, વચનની વાણી અને કાયાની ક્રિયા ત્રણે વૃત્તિમાં એકત્વ રાખવાને પ્રયત્ન કરવા જોઇએ. “સાદું જીવન ઉચ્ચ વિચારનું પાલન લાભદાયી છે. ઉચ્ચ કક્ષાની વિચાર શક્તિ રાખવી જોઇએ. અને જેવા વિચાર કરીએ તેવુ... જ વર્તન પણ રાખવુ જોઇએ. એજ પ્રમાણે આપણા ઉંચા તથા સાચા વિચારોને અનુરૂપ વાણી વ્યવહાર પણ રાખવા જોઇએ. એજ પ્રમાણે જે માલી ગયા છીએ તેનું પાલન કરવાની ટેક રાખવી જોઇએ. કારણ કે મુખમાંથી નીકળી ગયેલા શબ્દોના આપણે દાસ છીએ. જ્યાં સુધી નથી નીકળ્યા એ શબ્દોના માલીક છીએ એટલા જ માટે ખેલતાં પહેલાં સાવાર વિચાર કરવા જોઇએ. વાણી અને વન વિપરિત નહી' રાખવુ· જોઇએ. જેવુ ખેલીયે તેવું જ આચરણ હાવુ જોઇએ તથા જેવું શુભ આચરણ કરીએ તેવું જ ખેલવુ પણ જોઇએ. એમ કરવાથી માયા–કપટ વૃત્તિ ઓછી થઇ જશે અને મૃષાવાદની વૃત્તિ પણ શાન્ત થઇ જશે. એ જ મુખ્ય ઉપાય છે. રામબાણ ઉપાય છે એ જ અમેાધ ઔષિધ છે. તેથી બધાએ આનું જ આચરણ કરવું જોઇએ. વક્ર અને જડ- માયા મૃષાવાદી - પવિત્ર શ્રી કલ્પસૂત્ર આગમમાં કાલિક દૃષ્ટિએ જીવાની ત્રણ પ્રકારે વહે...ચણી કરી છે. તેમાં (૧) ઋજુ અને અપ્રાસ, (ર) પ્રાજ્ઞ અને ઋ અને (૩) વક્ર અને જડ આમાં પ્રથમ પ્રકારના જીવા પ્રથમ તી કર ઋષભદેવના કાળમાં હાય છે, જેએ પ્રાસ નથી પણ ઋજી=સરળ જરૂર છે. જ્યારે અજિતનાથથી પાર્શ્વનાથ ભગવાન સુધીના ૨૨ જિનના કાળના જીવેા પ્રાજ્ઞ અને ઋજુ છે. પ્રાજ્ઞ એટલે બુદ્ધિમાન અને ઋ એટલે સીધા-સાદા–સરળ એવા જીવા જ ધર્મોને માટે પાત્ર–ચેાગ્ય જીવા ગણાય છે. જ્યારે ભગવાન મહાવીર પછીના પાંચમાં આરાના જીવા વક્ર અને જડ છે. બહુલતા એવા જીવાની છે. ઋશ્રુતા સરળતા જાય ત્યારે વક્રતા આવે છે અને પ્રાજ્ઞતા જાય એટલે જડતા આવે છે. વક્રતા શહેતા એ માયા માહનીય ક`ના ઉચે છે અને જડતાએ જ્ઞાનાવરણીય કના ઉદયે છે. માયા મૃષાવાદી જીવ વક્ર અને જડ સ્વભાવી ડાય છે. આવા જીવા ધમ ને માટે પાત્ર-ચેાગ્ય ક્યારેય ઠરતા નથી અને કાઈ દયા લાવીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001504
Book TitlePapni Saja Bhare Part 19
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy