SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૨ તેને વિચાર કરી શકે? ફલસ્વરૂપે તમારી સુખની કલ્પના શુદ્ર છે, મર્યાદિત છે, એટલે કે રતિ-અરતિ ભાવસ્વરૂપ જ તમારી કલ્પના છે. પરંતુ એટલું જરૂરીથી ધ્યાનમાં રાખજો કે જે જે પદાર્થોમાં તમે સુખની કલ્પના કરી છે તે પદાર્થ જ નિત્ય નથી. તે જ ક્ષણિક છે, નાશવંત છે, વિનાશી છે. હવે તેના આધાર ઉપર ટકેલું સુખ નિત્ય-શાશ્વત-ચિરસ્થાયી કેવી રીતે હશે? આ તે સંભવિત જ નથી. એથી કરીને એવા અનુકુળ પ્રિય પદાર્થો અને ભેગોની પ્રાપ્તિમાં જ રતિ ભાવ જન્ય તમારું સુખ હશે અને એના અભાવમાં-વિયેગમાં અરતિજન્ય દુઃખ પણ તમને થશે. આથી સંસારી જીનું સાંસારિક સુખ પણ દુઃખ મિશ્રિત જ હશે કારણકે જ્યાં રતિ છે, ત્યાં અરતિ પણ સાથે જ છે, અને તે જ પાપની જડ છે. આનાથી જ પાપની ઉત્પત્તિ થાય છે. એક વખત રતિ ભાવ તીવ્ર બન્યું કે પછી તે તેના સુખની લાલસા સેંકડો પાપ કરાવશે. કેઈ કહેશે કે મને તો ચારી કરવામાં પણ મજા આવે છે. કોઈ કહેશે કે મને તો વ્યભિચાર મૈથુન સેવનના વૈષયિક સુખમાં જ મજા આવે છે. અને કોઈ વળી કહેશે કે મને તે પરસ્ત્રી જોડે સંબંધ કરવામાં જ મજા આવે છે. આ રીતે લાખો-કરોડ જીવોએ પિત પિતાની માન્યતા નક્કી કરી રાખી છે, હવે શું થશે? સૌની પિત પતની માન્યતા પોત–પિતાના રતિ–અરતિ ભાવ ઉપર આધારિત છે. બિચારા ભેગી ભગવાનના શું હાલ થયા? કેવળ વૈષયિક સુખને લાલચુ, અને લોકોને સેકસની પાછળ પાગલ કરવાવાળે, સંગથી સમાધિ મળે છે એવું પ્રતિપાદન કરવાવાળે અને તે રીતે પોતાની જાતને ભગવાન માની બેઠેલા વર્ષો સુધી એને મારવાને માટે આટલા પેંતરા શા માટે રચાય છે? છેવટે બિચારા તેને શા માટે પિતાના હાથે પોતાના વાદની હોળી સળગાવવી પડી. પિતાની ભોગીલાએ પોતાને ભેગ લીધે, વાત સાચી જ છે અતિ ઉત્કટ પાપનું ફળ અહીં જ ભોગવવું પડે છે. અનાચારી, વ્યભિચારી દુરાચારીની પાપલીલા જે એને સજા આપે છે. એટલા માટે સાચે જ કહ્યું છે કે, પાપની સજા બહુ ભારી થાય છે, આથી સનાતન કાળથી એ કહેવાય છે કે, “મોર મુ. વચમેચ ” અરે ભેગો ભેગવાતા નથી, આપણે જ ભગવાઈએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001502
Book TitlePapni Saja Bhare Part 17
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy