SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૭ આ શરીર પણ જડ પુગલ પદાર્થ છે. હવે જન્મ થતાં શરીરની ઉત્પત્તિ થાય છે અને મૃત્યુ થતાં શરીરને નાશ થાય છે. આ રીતે જન્મ મરણની અવસ્થામાં શરીરની ઉત્પત્તિ અને નાશ થાય છે. પરંતુ શરીરમાં રહેવાવાળો આતમા તે અજરામર શાશ્વત રહે છે. આથી મૃત્યુની પછી થતા જન્મમાં આત્માને બીજી કઈ અવસ્થા (આકૃતિની) પ્રાપ્તિ થશે અને ફરી મૃત્યુ થશે, ફરી જન્મ થશે અને દરેક જન્મ-મરણમાં આત્માનું નિત્ય તે કાયમ રહેશે. સેનાના આભૂષણની પર્યાય જેમ બદલાય છે તેમ શરીરના પર્યાય પણ બદલતા રહે છે. આ ઉત્પાદ વ્યય છે. અને ધ્રુવ, નિત્ય, શાશ્વત રહેવાવાળું તે આત્મદ્રવ્ય છે. આ તત્વજ્ઞાન આપણને જન્મમાં હર્ષ નથી કરાવતું અને મૃત્યુમાં શાક નથી કરાવતું. આટલું જ્ઞાન જીવનમાં શાંતિ આપવા સમર્થ બને છે. આવેલા મહેમાનને વળાવવા ગયા. એક શેઠને એકને એક પુત્ર ભરયૌવનમાં મૃત્યુ પામ્યો. અચાનક મૃત્યુ થતાં સૌ અવાકુ બની ગયા. તે સમયે શેઠના ઘરે ૮-૧૦ મહેમાન કઈ ખાસ કાર્ય માટે આવેલા હતા. શેઠે તેઓને કહ્યું, કૃપયા તમે ૨-૪ કલાક અહીં તહીં ફરીને આવો બે-ચાર મંદિરના દર્શન પૂજા કરીને આવે. મારે ઘણું જ જરૂરી કાર્ય છે. તે પતાવીને પછી આપણે મળીએ. આ બાજુ મહેમાન દશન પૂજા કરવા ગયા અને શેઠે થોડા પાડેશીને બોલાવ્યા. થોડા લેકો ભેગા થઈને સ્મશાનયાત્રા કાઢી સ્મશાનમાં જઈને અગ્નિસંસ્કાર કરીને શેઠજી ઘરે આવી ગયા. પેલા મહેમાન પણ આવી ગયા. મહેમાનને આ વાતની ગંધ પણ ન હતી. તે અગત્યની વાતમાં પરવાઈ ગયા. મહેમાનેએ પૂછયું કે એ કયું અનિવાર્ય કાર્યો તમારે હતું કે જેથી તમે અમને ૨-૪ કલાક માટે બહાર મોકલી દીધા? શેઠે કહ્યું કે તમારા આવ્યા પહેલાં કઈ મહેમાન આવ્યા હતા, તેમને જવું હતું આથી તેઓને પહોંચાડવા ગયે હતું. આ બાજુ મહેમાને જોડે વાતચીત કરીને શેઠને એક અનિવાર્ય મીટીંગમાં જવાનું હતું એટલે જલ્દી જલદી વાતચીત કરી દેતા ત્યાં મીટીંગમાં પહોંચી ગયા. મીટીંગમાં બધા સભ્યો આવીને તૈયાર બેઠા હતા અને શેઠની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. ઘણે સમય પસાર થઈ ગયું હતું, અને શેઠ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001502
Book TitlePapni Saja Bhare Part 17
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy