SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૦ ગણાઈ છે. સ્વસ્તિક એ ચાર ગતિનું સૂચક પ્રતિક ચિહ્યું છે. તેથી સંસાર ગતિમય છે. સંસાર ચકમાં ચારે ગતિઓ ગણાઈ છે. એમાં દેવગતિને પણ સમાવેશ થઈ જાય છે. મનુષ્ય ગતિમાં તે રાગ-દ્વેષની વૃત્તિ કેટલી છે? એ આપણે પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યા છીએ. આજે સર્વથા રાગ-દ્વેષ રહિત આ પૃથ્વી ઉપર કયે મનુષ્ય છે? પતિ-પત્નીમાં પણ શ્રેષની વૃત્તિ વચમાં આવવાના કારણે પતિ-પત્નીને મારીને બીજી કરવાને ઈચ્છે છે. તેવી રીતે પત્ની પતિને વિષ આપીને મારી નાંખવા ઈચ્છે છે અને બીજા કેઈની સાથે ભાગી જવા છે અથવા રહેવા ઈચ્છે છે. તેવું જ પિતા પુત્રની વચમાં બને છે અને સાસુ-વહુની વચમાં તે ખબર નથી પડતી કે ઉંદર-બિલાડી જેવી સ્થિતિ કેમ દેખાય છે? જે કે સર્વત્ર નથી. છતાં પણ ખબર નથી પડતી કે ઘણા વધારે પ્રમાણમાં દેખાય છે. આથી મનુષ્ય ગતિના મનુષ્યમાં પણ રાગ દ્વેષની પ્રવૃત્તિ ઓછી નથી. ચારે ગતિને આ સંસાર રાગ-દ્વેષથી ભરેલું પડે છે. કયાંય પણ છૂટકારે નથી. માત્ર મનુષ્ય ગતિમાં જ ઠેષ છેડી શકીએ છીએ રાગ-દ્વેષને સર્વથા છેડવાને માટે માત્ર મનુષ્ય ગતિ સિવાય બીજી કોઈ ગતિ ઉપયોગી નથી. નરક ગતિમાં, તિર્યંચ ગતિમાં તે રાગદ્વેષથી છૂટવાનું બચવાનું અથવા ન કરવાનું એ કેઈ સમજાવવાવાળું, કહેવાવાળું ઉપદેશદાતા કેઈ નથી. દેવગતિમાં સુલભતા નથી તિર્યંચ અને દેવગતિના જીવ તે સમવસરણમાં પણ આવીને પ્રભુની દેશના - સાંભળીને કંઈક સમજી પણ લે છે. પરંતુ નરકમાં નારકી છે માટે તે તે પણ શકય નથી. મનુષ્ય ગતિ જ એક સારી ગતિ છે. જેમાં દેવ ગુરૂ ધર્મને ઉપદેશ સુલભ છે. તે સાંભળીને તદનુસાર પ્રવૃત્તિ કરવી ધર્મ - ધ્યાન આરાધના કરવાનું પણ અનુકૂળ છે. તત્વજ્ઞાન સંપાદન કરીને આધ્યાત્મિકતાના માર્ગ પર આગળ વધવું યાની યેગી બનવું પણ સુલભ છે. રાગ-દ્વેષને છોડવાને માટે તત્વજ્ઞાન સંપાદન કરવું એ જ - એકમાત્ર વિકલ્પ છે. તત્વજ્ઞાનથી રાગ-દ્વેષનું સ્વરૂપ સમજીને અને આ પાપકારક તત્વ છે એમ જાણને એનાથી બચવાને માટે સમતા, ક્ષમા મૈત્રીભાવમાં રહીએ ત્યારે જ બને છૂટી શકે છે. વીતરાગીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001499
Book TitlePapni Saja Bhare Part 14
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy