SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૦ . 1 આદ્ર દેશના પાટવી કુંવર આદ્ર કુમાર દીક્ષા લીધી. પરંતુ કાચા સૂતર જેવા નેતાતંતુએ તેમને બાંધી દીધા. દ્વેષની અપેક્ષાએ રાગ વઘારે પતનનું કારણ બને છે. છતાં પણ જીવનને સંભાળી લીધું. | [] મેઘ મુનિએ રાત્રિના સમયે આર્તધ્યાન કર્યું અને સવારે દીક્ષા છોડવાના વિચારથી એ વગેરે વેશ પ્રભુજીને અર્પણ કરવા આવ્યા હતાં. એટલામાં પ્રભુજીએ મેધને પૂર્વભવની કથા સંભળાવી અને પિતાને જ હાથીને પૂર્વભવ સાંભળીને વૈરાગ્ય વાસિત મનથી જાતિ સ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. બધું જ નજર સમક્ષ દેખાવા લાગ્યું અને ચારિત્રમાં સ્થિર થઈ ગયા અને પોતાનું આત્મકલ્યાણ કર્યું. આવા કંઈક દષ્ટાંતે છે જેઓએ રાગના કારણે પતન થતા જીવનને સંભાળી લીધું અને સાધના કરીને જીવન સફળ બનાવ્યું. રાગ કર જ હોય તે પ્રશસ્ત રાગ કરો – સંસારનો બધે રાગ અપ્રશસ્ત છે. જે કમબંધ કરાવે છે, સંસાર વધારે છે, ભવની પરંપરા વધારે છે. તે અપ્રશસ્ત રાગ છે. પુત્રરાગ, દેહરાગ, ધનરાગ, કામરાગ વગેરે અપ્રશસ્ત રાગ છે. અપ્રશસ્ત રાગની પાછળ કષાયની માત્રા પણ છૂપાયેલી રહે છે. જ્યારે પ્રશસ્ત રાગ તે. પ્રશંસનીય સારો હોય છે. ભવ સંસારને વધારતું નથી. આથી ઉપાધ્યા- . યજી મહારાજ સજઝાયમાં સ્પષ્ટ કહે છે કે-“ જ જરો રે નર શું રે, રવિ વાય તો તે મુનિ ?”...અરે ભાઈ! કોઈ . કેઈની સાથે રાગ ન કરશે પરંતુ જે રાગ કર્યા વિના ન જ રહી શકાય તે મુનિ-સંત–સાધુને રાગ કરજો. તેની સાથે પ્રીતિથી જોડાજો. જેનાથી તમારા મનને પણ શાંતિ મળશે, ઈચ્છા પૂરી થશે અને ચિત્ત પ્રસન્ન થશે. આથી કહ્યું છે કે દેવ-ગુરૂ-ધર્મને રાગ કરે એ પ્રશસ્તરાગ છે. अरिहतेसु अ रागो, रागो साहुसु बभयारीसु । एस पसत्थो रागों, अज्ज सरागाण साहुण ॥ જગતના મહાન ત્યાગી, વીતરાગી-વૈરાગી અરિહંત પરમાત્મા પ્રત્યે જે રાગ રાખીએ કરીએ, બ્રહ્મચારી સાધુ સંતની સાથે રાગ રાખવે તે પ્રશસ્ત રાગ છે. જેમ કે ગૌતમસ્વામીને ભગવાન મહાવીર ઉપર રાગ હતે. કેટલે રાગ હસે ? ત્રીસ વર્ષ સુધી પ્રભુ મહાવીર સાથે રહ્યા અને અંતે જયારે દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબંધ કરવા જવું પડયું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001498
Book TitlePapni Saja Bhare Part 13
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy