SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ કારક બને...એવી વસ્તુ ઉપકરણ કહેવાય છે. આત્માના ધર્મ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપાદિ. આ ધર્મોની આરાધના કરવા માટે દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર આદિ પંચાચાર, ધર્મનું સ્વરૂપ બતાવ્યું, હવે આ પંચાચારને પાળવામાં, જે વસ્તુઓ સહાયક છે તે ઉપકરણ કહેવાય છે. અંતે ધર્મની આરાધના ઉપાસના માટે વસ્તુઓ દ્રવ્યરૂપે સહાયક બની શકે છે. વસ્તુની આવશ્યકતા પણ અનિવાર્ય રૂપે સિદ્ધ થાય છે. જે જે વસ્તુની સહાયતાથી જે આચારની પાલના થાય. તે વસ્તુ તે ધર્મનું ઉપકરણ કહેવાશે. આટલા માટે ધર્મો. પકરણ નામ રાખવામાં આવ્યું. ધર્મની સાધનામાં જે ઉપયોગી સિદ્ધ થઈ તે વસ્તુને ધર્મોપકરણ કહેવામાં આવે છે. તેના મુખ્યરૂપથી ત્રણ પ્રકાર છે. ૧) દશનેપકરણ. (૨) જ્ઞાનેપકરણ. (૩) ચારિત્રપકરણ. આ પંચાચારના પાલનમાં ઉપયોગી હોવાથી, તે તે આચાર ધર્મ સહયોગીપણે સિદ્ધ થવાથી તે તે સાધન સામગ્રીને દર્શન વિગેરે ઉપકરણના નામથી ઓળખવામાં આવે છે. દાખલા તરીકે મંદિરમાં ભગવા. નના દર્શન-પૂજમાં જે ચામર, કળશ, થાળી, વાળાકુંચી, કેસર, ચંદન, ધૂપ, દીપ, વિગેરે વસ્તુઓ છે તે દર્શનેપકરણ કહેવાય છે. પાટી, પિથી, ઠવણી, પુસ્તક, કલમ, પિન, નેટબુક વિગેરે જ્ઞાનના ઉપકરણ છે. જે જ્ઞાનાચારને ધર્મ પાળવામાં ઉપયોગી બને છે. એવી જ રીતે, શ્રાવકને ચારિત્રની ઉપાસનામાં ચરવળ, મુહપત્તિ, કટાસણું, એ જ પ્રમાણે પૌષધ માટે સંથાર, દંડાસણ, કામળી વિગેરે જે ઉપગી છે તે તથા સાધુ જીવનમાં ચારિત્રાચારની સાધનામાં જે વસ્ત્ર, પાત્ર, દાંડે કાંબળી, રજોહરણ વિ. છે તે ચારિત્ર ધર્મ માટે ઉપયોગી ઉપકરણ કહેવાય છે તે ચારિત્રેપકરણ જ સાધુ રાખી શકે છે. આથી નકકી થાય છે કે, દશન-જ્ઞાન–ચારિત્રો પાગી સાધનોને, વસ્તુઓને ઉપકરણ કહેવાય છે. સાધુ પણ પિતાની નત્રયીની સાધના માટે તેને ઉપયેગી ઉપકરણ જરૂર રાખે. હા; એટલી વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે કે એના ઉપર મેહ, આસકિત ન રાખે અને વળી તેને એવી રીતે રાખે કે એને જોઈને બીજાને પણ રાગ ઉત્પન્ન ન થાય. અને સાધુ સ્વયં પણ એવા ઉપકરણે ઉપર આસકિત ન રાખે એમાં મૂછ ન રાખે. અને વળી જરૂરીયાતથી વધારે સંગ્રહ પણ ન કરે. જે જરૂરીયાત કરતાં ઘણી વધારે વસ્તુઓને સંગ્રહ કરવામાં આવે, અથવા એનામાં તીવ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001493
Book TitlePapni Saja Bhare Part 08
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy