SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૧ ભવમાં તે જન્મથી જ વસ્ત્ર નથી તે પણ બધા પ્રકારનાં દેહરાગાદિ છે. સૂર્ય અસ્ત થઈ ગયે તેથી ચંદ્ર પણ અરત થઈ ગયે એવું માનવાની આવશ્યકતા નથી. કેમ કે સૂય ચન્દ્ર બંને રવત 2 ભિન્નભિન અસ્તિત્વ છે. એકબીજાના પૂરક નથી. એકબીજાના સંબંધમાં નથી. તેવી રીતે દેહ અને વસ્ત્ર બંનેનું ભિન્ન ભિન્ન સ્વતંત્ર અસ્તિત્વ છે. આથી એકને કારણે બીજા જોડે કેઈ સંબંધ નથી. વસરાગ ઓછો થઈ પણ ગયે હોય પણ તેટલા માત્રથી શરીરને રાગ છે થઈ ગયા છે એવું માનવું મોટી ભૂલ છે. નિર્વત્ર અવરથામાં દેહરાગ અત્યંત પ્રબળ હોઈ શકે છે અને તીર્થકર જેવી મહાજ્ઞાની વિભૂતિના જીવનમાં વસ્ત્ર હોવા છતાં પણું ન તે તેમને વસ્ત્ર ઉપર રાગ છે ને તે દેહરાગ છે. કારણ કે ત્યાં જ્ઞાન જાગૃતિ પ્રબળ છે. દીક્ષા લેતાંની સાથે જ જેમને મન ૫ર્યવ જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે અને જમથી ત્રણ જ્ઞાન તે અવશ્ય હોય છે, આથી ચાર જ્ઞાનયુક્ત મહાપુરુષના વિષયમાં આ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતું ! આથી પ્રભુના દીક્ષા સમયે દ્ર મહારાજા પિતે પ્રભુના શરીર ઉપર એક દેવદુષ્ય વસ્ત્ર અર્પણ કરે છે હવે તે વસ્ત્ર શરીર ઉપર રહે તો પણ શું અને ન રહે તે પણ શું ? જ્યાં દેહરાગ જ નથી. ત્યાં વસને રાગ કેવી રીતે ટકી શકે ? શ્રી પ્રભુ એવા ઘેર, કઠોર ઉપસર્ગોને સહન કરે છે. એવી ઘોર, આકરી તપશ્ચર્યા કરે છે, એવા ઉગ્ર વિહાર અને એ પંચમુઠી કેશલેચ કરે છે. કર્મક્ષયની કઠિન સાધના કરે છે. કે એમને પ્રબળ દેહરાગ પણ અગ્નિની સામે ઘીની જેમ પીગળી જાય છે. ઓગળી જાય છે. આ બાજુ તીર્થકરપણાને અતિશય એટલે શ્રેષ્ઠ છે કે તેમની આહાર વિહારની ક્રિયા ચર્મચક્ષુધર મનુષ્ય તે જોઈ જ શકતું નથી. તેમની કરપાત્ર લબ્ધિ એવા પ્રકારની છે કે એક ટીપું શરીર ઉપર અથવા નીચે પડતું જ નથી. તે પછી સ્ત્રીના સ્પર્શ કરવાને કે સાફ કરવાને પ્રશ્ન જ કયાંથી ઉપસ્થિત થાય ? પરંતુ, આજે તેવા પ્રકારની લબ્ધિઓ અને શકિતઓ નહેવા છતાં પણ તે કરપાત્રતાનું અનુકરણ કરવું તે દોષાસ્પદ અને હાસ્યાસ્પદ બને છે. આજે સ્ત્રીને સ્પર્શ તથા સાફ કરવું વિ. અનેક પ્રકારના દોષે આવીને ઉભા રહે છે. આન્તર પરિગ્રહ રાગ-દ્વેષ-કષાયની માત્રા ઘટતી નથી કાળને અનુસાર સામાન્યવત્ર રાખીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001493
Book TitlePapni Saja Bhare Part 08
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy