SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૭ પછી એક વમાનમાં આવીને ભૂતકાળના મહાસાગરમાં નદીઓની જેમ મળી જાય છે. અમારું જીવન તે તેવુ` પ્રેરણાદાયી નથી પરંતુ અમે તે ફાઈના જીવનમાંથી પ્રેરણા લઇએ. આદશ બ્રહ્મચારી-વિજય શેઠ વિજયા શેઠાણી ! કચ્છ દેશના ભદ્રેશ્વર તીમાં અદામ શ્રેષ્ઠિને એકના એક પુત્ર દેવકુમાર સમાન વિજયકુમાર હતેા. એક દિવસ ચૌવન વયમાં ગુરુ મહારાજ પાસે વ્યાખ્યાન સાંભળવા ગયા. બ્રહ્મચય ના મહિમાનું વ્યાખ્યાન સાંભળવા ગયા. બ્રહ્મચર્યના મહિમાનું વ્યાખ્યાન સાંભળીને ભાવના જાગૃત થઈ અને શ્રાવક જીવનનું ચાથું વ્રત લીધું. લગ્ન ન થાય ત્યાં સુધી શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરીશ અને લગ્ન પછી સ્વસ્રી સાથે પણ મહેનાના ૧૫ દિવસ શુકલ પક્ષમાં બ્રહ્મચર્યનું પાલન કરીશ. તે નગરની ધનાવહ શેઠની કન્યા વિજયાએ પણ પેાતાના મનમાં કૃષ્ણુપક્ષના ૧૫ દિવસ બ્રહ્મચર્ય પાલવાના સંકલ્પ કર્યાં, પ્રતિજ્ઞા કરી. ભાગ્ય સયાગવશ ભવિષ્યમાં આ એના લગ્ન થયા પહેલી રાત્રિના સમયે બંનેએ પરસ્પર વાત કરી અને કોઈનું મન દુઃખી ન થયું. તેએ અતૃપ્ત કામ તૃષ્ણાના ભાગી નહેતા. અનન્ત જન્મમાં મૈથુન સેન્ચુ છે આથી સતાષ માનીને ઘણા આનંદ સાથે બ્રહ્મચર્ય પાળવા લાગ્યા. બન્નેએ વિચાર કરી લીધા કે આપણે આ વાત ગુપ્ત રાખવી છે. કોઈ ને પણ ન કહેવી અને જે આપણી વાત પ્રગટ થઇ જાય તે તે દિવસે દીક્ષા લઇ લેવી સાથે રહેતા બંનેએ વર્ષો સુધી એવુ શુદ્ધ બ્રહ્મચર્યાં પાળ્યું કે ચંપાનગરીમાં પધારેલા વિમલસેન કેવલજ્ઞાનીને નગરશેઠ જિનદાસે વિનતિ કરતાં પૂછ્યું હું કૃપાળુ મેં ૮૪ હજાર સાધુ મહારાજાને એકી સાથે ગોચરી વહેારાવવાના અભિગ્રહ કર્યાં છે. વર્ષો વીતી ગયા છે તે હવે હું શું કરૂં ? મારે અભિગ્રહ કેવી રીતે પૂરા થશે? કેવલજ્ઞાની ભગવતે કહ્યુ.. કચ્છ દેશના વિજય શેઠ અને વિજયા શેઠાણી જે મહાન બ્રહ્મચારી છે તેની ભક્તિ કરે, તેનાથી ૮૪ હજાર સાધુઓને આહાર-પાણી-ગાચરી વહેારાવ્યા જેટલે પુણ્ય લાભ તમે ઉષાન. કરશે। જિનદાસ શેઠે તેમ જ કર્યુ. વિજય શેઠ અને વિજયા શેઠાણીની પ્રતિજ્ઞા પૂર્ણ થતા જ તેઓએ પણ દીક્ષા લીધી. વિચાર કેત્ર' પવિત્ર જીવન ? કેવુ શુદ્ધ પવિત્ર બ્રહ્મચય દાંપત્ય જીવનમાં પાળ્યું હશે કે કેવલજ્ઞાની એ પણ પ્રશ’સા કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001492
Book TitlePapni Saja Bhare Part 07
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy