SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ બીજાનાં દુઃખ જોઈને એને દૂર કરવાની ઈચ્છા–દયા તો એના હૈયામાં છે ને? એ નિર્દય ને નઠેર તે નથી થઈ ગયે ને? ને બીજાને સુખી જેઈને એના દિલમાં આનંદને બદલે અદેખાઈ તે નથી ઊગતી ને? તે જરૂર એ આસ્તિક છે. છેડેક મેડો, પણ એ ધર્મકરણી જરૂર કરશે. નવી પેઢીને કહેવું પડશે કે, મિત્ર! તું જે દયાળુ હોય ને બીજાના સુખે સુખી થતું હોય, તે પછી ડાક સારુ તારી આસ્તિકતાને કાં અધૂરી રાખે? તું ડી ડી ધર્મકરણ કરીશ, તે તને બે લાભ થશે; એક, તારી આસ્તિકતાને ધાર્મિકતાને સોનેરી ઢેળ ચડશે ને વળી તારા વડીલોનું હૈયું પણ ઠરશે. અને અતીન્દ્રિય તના સંદર્ભમાં આપણે વિચારીશું કે, જે વ્યક્તિ “આત્મા” નામના તત્વને ન સ્વીકારે, એ કયારેય પારકાનાં દુઃખે દુઃખી ન જ થઈ શકે, જે આત્મા જ ન હોય, તે કેઈકને મરતે રીબાતે દેખીને આપણે દુઃખી થવાને કોઈ અર્થ ખરો? એ તે મરે કે ન મરે, બધું સરખું જ લાગવું જોઈએ. આમ છતાં, કેઈની મૃત્યુપીડા આપણને દુઃખી કર્યા વિના રહેતી નથી. એથી જ નક્કી થાય છે કે “આત્મા” છે. જે મારે જીવ મને વહાલે છે, તેવો બીજાને પણ પિતાને જીવ વહાલે છે; ને મને જે સુખ ગમતું હોય, દુઃખ ન ગમતું હોય, તે બીજાને પણ સુખ જ ગમે, દુઃખ ન જ ગમે...આવી આત્મમૂલક વિચારણા-અસ્પષ્ટપણે પણ-હાય તે જ માણસ બીજાનાં દુઃખે દુઃખી ને સુખે સુખી થઈ શકે. આ જ છે આસ્તિકતા. અને આ આસ્તિકતા જ પર્યુષણની સાથે આપણને જોડનારી સાંકળ-Link છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001484
Book TitleMaitrina Gulmoharonu Upvan
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherSurendra M Kapadia Ahmedabad
Publication Year1983
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy