SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણે તે દેખીતી ધર્મક્રિયા કરે તે જ આસ્તિક ગણાય. ને નવી પેઢીને અહીં જ વધે છે. એ કહે છે કે તમે દુકાને બેસીને ગરીબાનુ શાષણ, નફા ખારી, કાળાં બજાર વગેરે અનીતિ આચરતાં અચકાતા નથી, ને છતાં થોડીક ધર્મોકિયાના આધારે પિતાની જાતને ધમી આસ્તિક ગણાવે છે, એ અમારા મગજમાં ઊતરતું નથી. જૂની પેઢી પાસે આનો જવાબ નથી, એટલે એ પિતાની વડીલશાઈ રીતે જ જુવાનિયાને ડાંટે છે. જોકે નવી પેઢીનુંય પાસું ઊજળું તે નથી જ. કેમ કે જૂની પિઢી અનીતિ આચરે છે જરૂર, પણ સાથે ધમકરણીયે છેડતી નથી. જ્યારે નવી પેઢી, ધમકરણથી તો સાવ વેગળી રહે જ છે, પણ સાથે અનીતિ અને ભ્રષ્ટાચારમાં એ, જૂની પેઢી કરતાં ય ચાર ડગલાં આગળ વધી ગઈ છે! ખેર, પણ આપણે તે એ બને એકબીજાને નાસ્તિક માનીને વર્તે છે, એનું નિરાકરણ ધવું છે, બનેમાં આસ્તિકતાનું સમાન તત્વ કયાં છે, એ તપાસવું છે. થોડા વખત પહેલાં શ્રી દાદા ધર્માધિકારીનું પુસ્તક વિચાર કાન્તિ” વાંચતો હતો. એમાં આ અંગે એમણે એમણે તલસ્પર્શી છણાવટ કરી છે. એમણે કહ્યું છે કે ભગવાનનું નામ કેઈન લે તેટલાથી તે નાસ્તિક કે નિરીશ્વરવાદી નથી થઈ જતું. આત્મામાં અને બ્રહ્મમાં ન માનતું હોય તે યે જે એ પારકાં દુઃખે દુઃખી થતું હોય ને પારકાં સુખે સુખી થતું હોય, અસમાનતા એનાથી સહન જ ન થતી હોય તે એ નક્કી આસ્તિક જ છે.” કેવી મૂળગામી છે આ વ્યાખ્યા ! માત્ર જૂની-નવી પેઢીના સંધર્ષનો વ્યવહારુ ઉકેલ જ આમાં જડે છે એવું નથી. પણ આમાં તે પરલેક ને આત્મા જેવા અતીન્દ્રિય પદાર્થોની સમસ્યાનો ઉકેલ છે. હવે જૂની પેઢીને આપણે સમજાવીશું કે, આ છોકરો ધર્મકરણી ભલે ન કરતું હોય કે ઓછી કરતે હોય, પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001484
Book TitleMaitrina Gulmoharonu Upvan
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherSurendra M Kapadia Ahmedabad
Publication Year1983
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy