SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં સુધી સૂર્યોદય થયો નથી ત્યાં સુધી જ અંધકાર રહે છે, જ્યાં સુધી કેસરીસિંહ આવતો નથી ત્યાં સુધી જ ગજેન્દ્રો મદાંધ રહે છે, જ્યાં સુધી કલ્પવૃક્ષ પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી જ દારિદ્ય રહે છે, જ્યાં સુધી વૃષ્ટિકારક મેઘ વરસતો નથી ત્યાં સુધી જ પાણીની તંગી રહે છે, જ્યાં સુધી પૂર્ણચન્દ્ર ઊગતો નથી ત્યાં સુધી જ દિવસનો તાપ રહે છે, તે પ્રમાણે, જ્યાં સુધી તમારું દર્શન થતું નથી. ત્યાં સુધી જ જગતમાં કુબોધ રહે છે. અહીં સ્પષ્ટપણે સૂરપરિવર્તન અનુભવાય છે. મૂળ જોવાથી તરત જ પ્રતીતિ થશે. तावदेवांधकाराणि न यावद्दिवसेश्वरः । मदान्धास्तावदेवेभा यावत्पंचाननो न हि ॥ 3-६-८४ तावदेव हि दारिद्यं न यावत्कल्पापादपः । તાવવ પોતૌત્રં ન યાવદર્ભુજોડવુઃ | ૩-૬-૮૫ तावद्दिवससंतापो न यावत्पूर्णचन्द्रमाः । कुबोधास्तावदेवेह न यावत्त्वं निरीक्ष्यसे ॥ 3-६-८६ સાતમા સર્ગમાં શ્લેષનો આશ્રય લઈને સ્તુતિ કરવામાં આવી છે. હે પ્રભુ, તમે જો વીતરાગ છો તો તમારા હાથપગમાં રાગ કેમ છે? તમે જો કુટિલતા છોડી દીધી છે તો તમારા કેશ કુટિલ કેમ છે? તમે જો પ્રજાના ગોપ છો તો તમારા હાથમાં દંડ કેમ નથી ? જો તમે નિઃસંગ છો તો રૈલોક્યના નાથ કેમ કહેવાઓ છો ? તમે મમતારહિત છો સર્વ પર શા માટે દયાળુ છો? જો તમે અલંકારમાત્રનો ત્યાગ કર્યો છે તો, તમને ત્રણ રત્ન કેમ પ્રિય છે? તમે જો સર્વને અનુકૂળ છો તો મિથ્યાષ્ટિ પર શા માટે દ્વેષ કરો છો ? જો તમે સ્વભાવે સરલ છો તો પૂર્વે છદ્મસ્થપણે કેમ રહ્યા હતા? જ દયાળુ છો તો કામદેવનો કેમ નિગ્રહ કર્યો ? જો તમે નિર્ભય છો તો સંસારથી કેમ ભય પામો છો? જો તમે ઉપેક્ષા કરવામાં તત્પર છો તો વિશ્વના ઉપકારક કેમ છો? જો અદીપ્ત છો તો ભામંડળથી દીપ્ત કેમ છો ? જો તમે શાંત સ્વભાવી છો તો, ચિરકાળ કેમ તપો છો ? જો રોષરહિત છો તો કર્મ પર કેમ રોષ રાખો છો ? ૭. વીતરાગોડસિ વેદ્રા'I: પform થં તવ ! कौटिल्यं च त्वया मुक्तं कि केशाः कुटिलास्तव ।। 3-७-७० प्रजानां यदि गोपस्त्वं दंडहस्तोऽसि किं न हि । નિ:સંડો દ્િ વસિ તં ત િત્રેતોનાથના || ૩-૭-૭૧ यदि त्वं निर्ममस्तत्कि सर्वत्र करुणापरः । ત્યરુન્નિશેત્ત્વ ત િરત્નત્રયપ્રિયઃ | ૩-૭-૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001478
Book TitleHem Sangoshthi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1995
Total Pages130
LanguageGujarati, Hindi, Prakrit
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy