SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ આચાર્ય, લગભગ દરેક સ્તુતિમાં સૂર બદલે છે. વારસામાં મળેલી સમૃધ્ધ સંસ્કૃત સાહિત્યપરંપરાની રૂઢ થયેલી અનેક યુક્તિઓને, કામે લગાડે છે અને સ્તુતિની એકવિધતા તોડે છે. સુપાર્શ્વનાથચરિતમાં ૩-૫માં ઇન્દ્ર કહે છે કે તમારું સ્વરૂપ તો, ન જાણી શકાય તેવું અવિય છે પણ છતાં, તમારી સ્તુતિ કરવાનો આ મારો અર્થવાદાગ્રહ આદિત્યમંડળને ઝડપવા વાનરે મારેલી ફાળ બરાબર છે. તો પણ, હે પરમેશ્વર, તારા જ પ્રભાવથી હું તારી સ્તુતિ કરીશ કારણ કે, ચન્દ્રની કાન્તિના પ્રભાવથી જ ચન્દ્રકાન્ત પથ્થર ઝરે છે. જ્યારે જ્યારે તીર્થંકરનો જન્મ થાય છે ત્યારે ઇન્દ્રાસન ડોલતું હોય છે. આવું વર્ણન દર વખતે આચાર્ય કરે છે, કારણ કે એમ કરવું એ પ્રાપ્ત થયેલા માળખાનો ભાગ છે. પણ, અહીં એ ઇન્દ્ર કહે છે, અમારા પ્રમાદને ધિક્કાર છે કે તમારા જન્મની અમને ખબર ન પડી. પણ અમારાં આસનો ધન્ય છે જેમણે, કંપીને, તમારા જન્મ કલ્યાણની અમને જાણ કરી.' પર્વ ત્રણના છઠ્ઠા સર્ગમાં “હે પ્રભુ, આકાશને આધાર આપવાની બુદ્ધિથી ઊંચા પગ કરીને રહેનારા ટીંટોડા પક્ષીની જેમ, અનંતગુણશાલી એવા તમારી સ્તુતિ કરવા પ્રવૃત્ત થયો છું, તો હું હાસ્યાસ્પદ છું. પણ, તમારા પ્રભાવથી વ્યાપક બુદ્ધિને પ્રાપ્ત થયેલો હું તમારી સ્તુતિ કરવાને શક્તિમાન બનીશ. વાદળનો એક ટૂકડો પણ પૂર્વ દિશાના પવનના સંગમથી દિશાઓમાં વ્યાપી જાય છે..... ચન્દ્રનાં કિરણ પડવા માત્રથી ખરી પડતાં શેફાલિકાનાં ફૂલોની જેમ તમારા દર્શન માત્રથી મારું અશુભ કર્મ પણ ફળ આપ્યા સિવાય ખરી પડશે.” વળી આજ સર્ગમાં આગળ આચાર્ય અભિવ્યક્તિની રીત બદલે છે. ४. अविज्ञेयस्वरूपे त्वय्यर्थवादाग्रहो मम । आदित्यमण्डलादाने फालदानं करिव ॥ 3-4-3८ तथापि त्वत्प्रभावेण स्तोष्ये त्वां परमेश्वर । ન્દ્રિત્તે વન્દ્રશાન્તા દિ વન્દ્રશ્નાન્તિપ્રવિતિઃ || ૩-૫-૩૯ ૫. ધન: પ્રમાવિનો ધન્યાન્યાસના િતાનિ : | देवत्वज्जन्मकल्याणं चलित्वाऽज्ञापि यैः क्षणात् ॥ 3-४-४४ ६. त्वामनन्तगुणं स्तोतुं प्रवृतोऽस्मि हसास्पदम् ।। आधारबुद्धया गगनस्योत्पाद इव टिट्टिभः ।। 3-६-3८ व्यापिप्रज्ञस्त्वत्प्रभावात्क्षमोऽस्मि नु तवस्तवे । दिशोऽश्नुतेऽभ्रलेशोऽपि पौरस्त्यानिलसंगमात् ॥ 3-६-४० निजं फलमदत्त्वापि गलिष्यत्यशुभं मम । शेफालिकापुष्पमिव निशाकरकराहतम् ।। 3-६-४३ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001478
Book TitleHem Sangoshthi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1995
Total Pages130
LanguageGujarati, Hindi, Prakrit
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy