SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ પાઠને ઔદાર્ય અને અતિ ઊંચે કે નીચે નહિ એવા પાઠને સામ્ય ગુણ તરીકે ઓળખાવે છે. આચાર્ય હેમચંદ્ર કહે છે કે સંવાદનો પાઠ કેવી રીતે કરવો એ પાઠને લગતા નિયમોને ગુણ તરીકે ખપાવવા યોગ્ય નથી. જેમ રસ અને છંદનો સંબંધ કેટલાક વિદ્વાનોએ સ્પષ્ટ કર્યો છે એટલે કે ક્યા રસને કયો છંદ ઉપકારક બને છે તે સૂચવાયું છે તેમ છંદ અને ગુણનો સંબંધ દર્શાવવાનો પ્રયાસ પણ હેમચંદ્રની પૂર્વે થયો ગણાય છે. હેમચંદ્રાચાર્યે ઉધૃત કરેલી આવી કોઈ અજ્ઞાતનામા વિચારધારા પ્રમાણે ગ્રગ્ધરામાં ઓજ, ઇન્દ્રવજા, કે ઉપેન્દ્રવજામાં પ્રસાદ, મંદાક્રાન્તામાં માધુર્ય અને શાર્દૂલવિક્રીડિતમાં સમતા વ. છે. મમ્મટે પ્રતિઉદાહરણો આપીને આ છંદો હોવા છતાં એમાં પ્રસ્તુત ગુણો ન હોવાનું બતાવીને આ મતની નિરાધારતા સૂચવી છે. આચાર્ય હેમચંદ્રના આ ગુણવિચારની ડૉ. રાઘવને ભોજના શૃંગારપ્રકાશની સમીક્ષામાં ઘણી પ્રશંસા કરી છે, અને એની શૈલીને કાવ્યમીમાંસાની રાજશેખરની શૈલી સાથે સરખાવી છે. હેમચંદ્રની પૂર્વે ક્યાંય પ્રાપ્ત ન થતી આ વિચારણા આચાર્ય હેમચંદ્રના ગુણવિચારની અનન્યતા સિદ્ધ કરે છે. ડૉ. રાઘવન એની પ્રસંશા કરતા લખે છે. : ૨ “None of the ancients refuted definetly other's views on Gunas..... The value of this part of Hemachandra's commentry is enhanced by his reference to strange views on Gunas which we do not find referred to anywhere else.” પાદટીપ (આ લેખમાં આચાર્ય હેમચંદ્રના વી. એમ. કાવ્યાનુશાસનની શ્રી રસિકલાલ પરીખ અને શ્રી કુલકર્ણી સંપાદિત, મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, પ્રકાશિત ૧૯૬૪ની બીજી સંવર્ધિત આવૃત્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે.) १. अदोषौ सगुणौ सालङ्कारो च शब्दार्थों काव्यम् । काव्यानुशासन् ३-३३ २. तथाहि - यत्रैव दोषास्तत्रैव गुणाः, रसविशेषे च दोषा न तु शब्दार्थयोः । यदि हि तयोः स्युस्तद्विभत्सादौ कष्टत्वादयो गुणाः न भवेयुः हास्यादौ चाश्लीलत्वादयः । अनित्याश्चैते दोषाः यतो यस्याङ्गिनस्ते दोषास्तदभावे न दोषास्तद्भावे तु दोषा इत्यन्वयव्यतिरेकाभ्यां गुणदोषयो रस एवाश्रयः । (काव्यानुशासन, १-१२ ५२नी विवेकवृत्ति) ૩. વામનઃ - વ્યકુિંરસ્તૂત્રવૃત્તિ, ૩., ૨.૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001478
Book TitleHem Sangoshthi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1995
Total Pages130
LanguageGujarati, Hindi, Prakrit
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy