SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ છે અને સઘન વાક્યરચનાથી મુકાયેલી છે. વીતરાગદેવનું મેરુ અને સાગર સાથેનું સાદશ્ય સૂચવવામાં આવ્યું છે તેમાં એમની ઉચ્ચતા અને વિશાળતાના સંકેતો રહેલાં છે અ લક્ષ બહાર રહેવું ન જોઈએ. મદારદામવન્નિત્યમ્ અવાસિતસુગન્વિનિ, તવાગે ભૂજ્ઞતાં યાન્તિ નેત્રાણિ સુયોષિતામ્ ૨.૨ અહીં બે અલંકારો પરસ્પરાશ્રિત રીતે આવેલા છે – વીતરાગદેવનાં અંગો મન્દીરમાલાની પેઠે નિત્ય અને અવાસિતપણે સુગંધી હોવાં (ઉપમા) અને દેવાંગનાઓનાં નેત્રોનું ત્યાં ભમરા રૂપે ભમવું (રૂપક) રૂપકની રચના ચીલાચાલુ નથી એ ધ્યાન ખેંચે છે. એકોડયમેવ જગતિ સ્વામીત્યાખ્યાતુમુચ્છિતા, ઉરિન્દ્રધ્વજવ્યાજાત્ તર્જની જન્મવિદ્વિષા. ૪.૨ વીતરાગદેવના સમવસરણસ્થાને ઇન્દ્ર (જમ્મવિદ્વિષા) ઇન્દ્રધ્વજ રોપ્યો છે તે વસ્તુતઃ એણે આંગળી ઊંચી કરી છે એમ કલ્પવામાં આવ્યું છે. આ અપહતુતિ અલંકાર કહેવાય વળી, એની સાથે આંગળી ઊંચી કરવાના હેતુની કલ્પના કરવામાં આવી છે. જગતમાં આ એક જ સ્વામી છે એમ કહેવા માટે આંગળી ઊંચી કરી છે. આમ, અહીં અપહતુતિ અને હેતૂસ્નેક્ષા એ બે અલંકારો પરસ્પર જોડાયેલા છે. યથાનિચ્છનુપેયસ્ય પરાં શ્રિયમશિશ્રિય:. ૩.૧૩ આ ઉદાહરણમાં બે શબ્દાલંકારો જોડાયેલા છે – “યનો વર્ણાનુપ્રાસ અને શ્રિય'નો યમક. કેટલેક સ્થાને એકથી વધુ વર્ણના અનુપ્રાસો પણ યોજાયેલા જોવા મળે છે - “મારયો ભુવનારય:(૩.૭), “કલયે વામકલયે” (૯.૪) વગેરે, તથા “લમ્બા સુધા મુધા' (૧૫.૩) એમ એકસાથે ત્રણત્રણ પ્રાસશબ્દો આવે છે તે કવિનું વર્ણરચના પદરચના-પ્રભુત્વ દર્શાવે છે. બેથી વધુ અલંકારોની ગૂંથણી કવિના સવિશેષ કૌશલનો આપણને પરિચય કરાવે છે. જેમકે, કલ્યાણસિદ્ધયે સાધીયાનું કલિરેવ કષપલા, વિનાગ્નિ ગન્ધમહિમા કાકતુમ્હસ્ય નૈધતે. ૯.૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001478
Book TitleHem Sangoshthi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1995
Total Pages130
LanguageGujarati, Hindi, Prakrit
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy