SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ સુધી વીતરાગદેવના અતિશયો વર્ણવાયા છે. તેમાં દેવોએ રચેલા એમના સમવસરણસ્થાન તથા છત્રચામરાદિના વૈભવનું વર્ણન આપણા ચિત્તને આશ્ચર્યથી પ્રભાવિત કરે છે તે સાથે આપણામાં એમના પ્રત્યે પ્રીતિ પણ જન્માવે છે. પણ આ સિવાય કેટલાક પ્રકાશોમાં ભક્તિનો ભાવ સ્વતંત્ર રીતે અને વિસ્તારથી, અનેક સંચારિભાવોથી પુષ્ટ થઈને અભિવ્યક્તિ પામ્યો છે. જેમકે, પંદરમા પ્રકાશમાં વીતરાગ શાસનની અવગણના કરનાર, એનો વેષ કરનારની નિંદા કરી છે ને એ શાસનની પોતાને થયેલી પ્રાપ્તિની ધન્યતા આર્ટ ભાવે અને હૃદયંગમ રીતે પ્રગટ કરી છે : તેભ્યો નમોડજલિય, તેષાં તાન્ સમુપાસ્મો, વચ્છાસનામૃતરસૈર્યરાત્માડસિચ્યતાન્વહમ્. ૧૫.૭ ભુવે તસ્ય નમો યસ્યાં, તવ પાદનખાંશવઃ, ચિર ચૂડામણીયન્ત, બ્રમહ કિમતઃ પરમ્. ૧૫.૮ જન્મવાનસ્મિ ધન્યોડસ્મિ કૃતકૃત્યોડર્મિ ય—હુ, જાતોડસ્મિ વર્ગુણગ્રામરામણીયકલમ્પટ:. ૧૫.૯ વીતરાગદેવના શાસનના અમૃતરસથી પોતાના આત્માને પ્રતિદિન સીંચતા રહેનારાઓની ઉપાસના કરવામાં, એમને અંજલિ ધરી પ્રણામ કરવામાં તથા વીતરાગદેવના પગના નખોનાં કિરણો જેનાં ચૂડામણિરૂપ બન્યાં છે એ એમની વિહારભૂમિને પણ પ્રણમવામાં હૃદયની આદ્રતા રહેલી છે અને વધુ શું કહીએ?” એ શબ્દોથી ભક્તિભાવની પરાકાષ્ઠા સૂચવાયેલી છે. વીતરાગદેવના ગુણસમૂહની રમણીયતામાં લુબ્ધ બન્યાની ધન્યતા તો કેવી પર્યાયપદોના આવર્તનથી, જાણે ઊભરાતી હોય એમ વ્યક્ત થઈ છે !- “જન્મવાનું થયો છું, કૃતકૃત્ય થયો છું, ધન્ય થયો છું.” સ્થૂળ રીતે પર્યાય સમા ત્રણે શબ્દો ઉદિષ્ટ ભાવની ચડતી શ્રેણી દર્શાવે છે એ આપણે પામી શકીએ તો જ એની તીવ્રતા આપણે સાચેસાચી અનુભવી શકીએ. “જન્મવાનું એટલે ખરું અસ્તિત્વ – જીવન પામેલો, “કૃતકૃત્ય” એટલે જેનું અસ્તિત્વ સાર્થક થયું છે એવો અને “ધન્ય' એટલે સદ્ભાગ્ય, ઐશ્ચર્ય પ્રાપ્ત કર્યું છે એવો. - સોળમાં પ્રકાશમાં આત્મનિંદાપૂર્વક વીતરાગસ્તુતિ કરવામાં આવી છે. એમાં મનની ડામાડોળ સ્થિતિનું વર્ણન છે – એક બાજુથી વીતરાગદેવના ધર્મમતથી મનમાં ઊઠતી શમ રસની ઊર્મિઓ અને બીજી બાજુથી અનાદિ સંસ્કારવશતાથી નીપજતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001478
Book TitleHem Sangoshthi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1995
Total Pages130
LanguageGujarati, Hindi, Prakrit
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy