________________
૩૫
દાર્શનિકરૂપી મૃગો એ અંકુરને ભક્ષી ન જાય તે માટે જલ્પ-વિતષ્ઠા દ્વારા અંકુરની આસપાસ કાંટાવાળી શાખાઓથી વાડ કરવી. ૨૦ આમ છતાં હેમચંદ્રાચાર્યના મતે તો જેમાં છલ અને જાતિ (અસત્ ઉત્તર, દૂષણાભાસ)૨૧ ના હિંસક પ્રયોગો થતા હોય તેવા જલ્પ અને વિતડા જેવા કથાપ્રકારોને સ્વીકારવાની જરૂર નથી.
આચાર્યની સામે કોઈ પ્રશ્ન કરે કે અક્ષપાદમુનિના ન્યાયસૂત્રમાં તો જલ્પ અને વિતષ્ઠાને લક્ષણો આપીને કથાના પ્રકાર તરીકે સ્વીકારેલ છે. તેમનો અસ્વીકાર કેમ? આના ઉત્તરમાં આચાર્ય કહે છે કે વિતખ્તામાં કોઈ પક્ષનું સ્થાપન જ હોતું નથી. સામા પક્ષનું માત્ર ખંડન જ કરતા વૈતષ્ઠિકના વચન તરફ કોણ ધ્યાન આપે ? જલ્પમાં સ્વપક્ષનું સ્થાપન અને પરપક્ષનું ખંડન એ બન્ને હોવાથી જલ્પને કથાપ્રકાર કહી શકાય. પરંતુ, જલ્પ એ વાદથી ભિન્ન નથી.૨૨
આની સામે કોઈ કહે કે જલ્પમાં તો છલ, જાતિ અને નિગ્રહસ્થાનોનું બાહુલ્ય હોય. વાદમાં છલ વગેરે હોતાં નથી. તેથી જલ્પનું કાર્ય વાદ કથાપ્રકાર સાધી શકે નહીં. આચાર્ય ઉત્તર આપે છે કે છલ અને જાતિના પ્રયોગ તો પ્રતિપક્ષમાં દોષ ન હોય ત્યાં પણ દોષ ઊભા કરીને દૂષણાભાસ દ્વારા પ્રતિપક્ષીને બોલતો બંધ કરવા માટે થાય છે. આ કોઈ રીતે યોગ્ય નથી. વળી, નિગ્રહસ્થાનનો પ્રયોગ તો વાદમાં પણ માન્ય છે. પ્રતિપક્ષીને કોઈ પણ રીતે બોલતો બંધ કરી દેવો હોય તો તેને ચાબુક ફટકારીને અથવા તમાચો મારીને કે મુખે ડૂચો દઈને – વગેરે ઉપાયોથી પણ તેમ કરી શકાય. પરંતુ જલ્પમાં આવા પ્રયોગોને ઉચિત ગણ્યા નથી. તેમ છલ, જાતિના પ્રયોગમાં પણ ઔચિત્ય નથી.
२०. स्वात्मनि शिष्याद्यात्मनि चोत्पन्नः तत्त्वाध्यवसायाङ्करः शाक्यादिमृगैः भक्ष्येतापि यदि
નર્વાવતUામ્યાં પટણાવાગ્યા બાવર ન યિતે | – ન્યાયભૂષણ, તદેવ
પૃ. ૩૩૨. ૨૧. ૩મૂતરોણોદ્ધીવનન તૂષામાસા નાત્યુત્તરાળા - પ્ર. મી. ૨.૧.૨૯. સામા પક્ષમાં
ન હોય તેવા દોષો ઊભા કરવા તે દૂષણાભાસ. એ જ જાતિ પ્રકારના ઉત્તર. ૨૨. નતુ.... વાતાર્ અર્થાતરમ્ ! વાનૈવ વરિતાર્થાત્ ! - સ્વોપજ્ઞવૃત્તિ, પ્ર.
મી. સૂ. ૨-૧-૩) ૨૩. તમતિ ગત્પવિતÇનિરીકરો વા
થથાં તમતે રૂતિ સ્થિતિમ્ | -સ્વોપજ્ઞ વૃત્તિ, પ્ર. મી. ૨-૧-૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org