SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ 33 જેમ બીજના અંકુરનું રક્ષણ કરવા માટે, તેની આસપાસ કાંટાની વાડ કરવામાં આવે છે તેમ જિજ્ઞાસુએ પોતાના તત્ત્વનિશ્ચયનું રક્ષણ કરવા કાંટાની વાડ જેવા જલ્પ અને વિતણ્ડાનો પ્રયોગ કરવો જોઈએ. પરંતુ વાત્સ્યાયન મુનિ કહે છે કે જેમને તત્ત્વજ્ઞાન ન થયું હોય તેવા જિજ્ઞાસુઓ માટે જ જલ્પ અને વિતણ્ડા છે. આટલી અક્ષપાદ ન્યાયની ભૂમિકા પછી, આપણે હવે હેમચન્દ્રાચાર્યનું વાદલક્ષણ તપાસીએ, આચાર્ય કહેછે કે તત્ત્વના સમ્યક્ રક્ષણ માટે, પ્રાક્ષિક વગેરેની સમક્ષ વાદી કે પ્રતિવાદી પોતાના પક્ષના સ્થાપન માટે અને પ્રતિપક્ષના ખંડન અર્થે જે બોલે અર્થાત્ ચર્ચા કરે તે વાદ૧૩. અહીં આચાર્યના લક્ષણમાં તત્ત્વનું રક્ષણ એ જ વાદનું મુખ્ય પ્રયોજન છે. પ્રાશ્નિકો એટલે સભ્યો. તેમાં વાદી, પ્રતિવાદી અને સભાપતિને ઉમેરતાં ચાર અંગો બને. તે આ કથાને ચતુરંગા કહે છે.૧૪ સભાપતિ ન્યાય-અન્યાયનો નિશ્ચય કરવા સમર્થ, પક્ષપાતરહિત હોવો જોઈએ. વાદસભાના સભ્યો, પોતાના તથા અન્યના સિદ્ધાન્તો સમજવામાં સમર્થ, કુલીન અને વાદમાર્ગના જાણકાર હોવા જોઈએ. સૂત્રના ‘તત્ત્વ’ શબ્દનો અર્થ સાધુજનના હૃદયમાં રહેલો તત્ત્વનિશ્ચય. તેનું કુતાર્કિકોના વિકલ્પોથી રક્ષણ કરવું એ વાદનું લક્ષ્ય છે. હેમચંદ્રાચાર્ય વાદના સ્વરૂપ અંગે વૃત્તિમાં કેટલીક સ્પષ્ટતાઓ કરે છે. સૂત્રમાં આચાર્યે તત્ત્વનું રક્ષણ કરવું એ, વાદનું પ્રયોજન છે એમ બતાવ્યું. આની સામે કોઈ વાંધો ઉઠાવતાં કહે કે તત્ત્વનું રક્ષણ કરવું એ તો જલ્પ અને વિતણ્ડાનું પ્રયોજન છે, વાદનું નહીં. આનો ઉત્તર આચાર્ય, વાદના ન્યાયસૂત્રના લક્ષણને આધારે આપે છે. તેઓ કહે છે કે તત્ત્વના રક્ષણ માટે જલ્પ અને વિતણ્ડાની જરૂર નથી; કારણ કે વાદના સ્વરૂપમાં પણ નિગ્રહસ્થાન છે જ. અક્ષપાદમુનિના ન્યાયસૂત્રમાં દર્શાવેલાં વાદનાં લક્ષણોમાંના બે લક્ષણો અહીં ઉપયોગી છે. એક ‘સિદ્ધાન્ત-અવિરુદ્ધ' અને ૧૩. તત્ત્વસંરક્ષાર્થ પ્રાશ્તિાવિસમક્ષ સાધનનૂપાવવનું વાવ: ।- પ્રમાણમીમાંસા ૨-૧ ૩૦ ૧૪. સેયં ચતુર ા થા । સ્વોપજ્ઞવૃત્તિ, પ્ર.મી. અ'વાદ આવૃત્તિ તદેવ પૃ. ૬૩. સરખાવો : સા ચતુરા વાવિપ્રતિવાસિમાપતિઽરિનાl I- ન્યાયસાર (સ્વોપન્ન ટીકા ન્યાયભૂષણ) લે. ભાસર્વજ્ઞ (૧૦મી સદી) સં. સ્વામી યોગીન્દ્રાનન્દ, ષગ્દર્શન પ્રકાશન પ્રતિષ્ઠાન વારાણસી, પ્રથમ સંસ્કરણ ૧૯૬૮, પૃ. ૩૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001478
Book TitleHem Sangoshthi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1995
Total Pages130
LanguageGujarati, Hindi, Prakrit
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy