SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ કરીએ. બોલનારના જ્ઞાનમાં જ વિરોધ કે વિસંવાદ આવી જાય અથવા વક્તા વાદીનો મુદ્દો સમજી ન શકે અને તેથી ન તો બીજાના મતનું ખંડન કરી શકે કે ન તો પોતાના મતના ખંડનને અટકાવવા સમર્થ બને. આવી પરિસ્થિતિમાં જકડાઈ જવું તેનું નામ નિગ્રહસ્થાન, નિગ્રહસ્થાન પરાજ્યનું કારણ બને છે. જેમ કે, અનિત્ય ઘટની જેમ શબ્દ ઇન્દ્રિયગમ્ય હોવાથી અનિત્ય છે તેમ કોઈક સિદ્ધ કરે છે. તેની સામે કોઈ દલીલ કરે કે શબ્દ, ઇન્દ્રિયગમ્ય સામાન્યની જેમ નિત્ય છે. ન્યાયદર્શન અનુસાર જે ઇન્દ્રિયથી ગાયનું ગ્રહણ થાય તે જ ઇન્દ્રિયથી ગોત્ર સામાન્યનું પણ ગ્રહણ થાય. સામાન્ય નિત્ય મનાય છે. સામાન્ય ઇન્દ્રિયગમ્ય છે. અને નિત્ય છે તેમ શબ્દ પણ ઇન્દ્રિયગમ્ય છે અને તેથી નિત્ય છે. આ પ્રસંગે, પ્રથમ શબ્દને અનિત્ય સાધવા જનાર વાદી શબ્દને નિત્ય તરીકે સ્વીકારી લે. એટલું જ નહીં પણ તે તો કહે કે – ત્યારે ભલે ઘટ પણ નિત્ય તરીકે સ્વીકારાય ! આમ બોલે ત્યારે પોતે કરેલી, ઘટ અનિત્ય છે તેમ શબ્દ અનિત્ય છે- એવી પ્રતિજ્ઞાને પોતે જ છોડી દે એવો પ્રસંગ આવે. આનું નામ વિપ્રતિપત્તિ (= વિરોધ કે વિસંવાદ) એટલે કે નિગ્રહસ્થાન. આને લીધે વાદીનો વાદમાં પરાજય થાય.૧૦ આમ જલ્પ કથાપ્રકારમાં વાદનાં લક્ષણો તો હોય જ. તદુપરાંત ઉપર કહ્યું તેમ, જેમાં છલ, જાતિ અને નિગ્રહસ્થાનનો પણ પ્રયોગ થાય તેવી કથાને જલ્પ કહે છે. ૧૧ હવે વિતા પ્રકારની કથાને વિચારીએ. જલ્પના જ લક્ષણ વિતામાં હોય છે. બન્ને વચ્ચે ભેદ એ છે કે વિતષ્ઠામાં પ્રતિવાદી પોતાના કોઈ પક્ષનું સ્થાપન કરતો જ નથી. પરપક્ષનું માત્ર ખંડન જ કરે છે. એટલે પોતાના પક્ષની સ્થાપના વગરનો જલ્પ એ જ વિતષ્ઠા.૧૨ આમ ન્યાયદર્શન અનુસાર, કથાના ત્રણ પ્રકારો : વાદ, જલ્પ અને વિતડા. કેટલીક વાર અમુક દાર્શનિકો પોતાના પક્ષ તરફના અનુરાગને કારણે ન્યાયનું ઉલ્લંઘન કરે છે – બીજાના સાચા મત ઉપર પણ આક્રમણ કરે છે. આવા પ્રસંગે, ૯. વિપ્રતિપત્તિઃ પ્રતિપત્તિશ નિગ્રહસ્થાનમ્ | - ન્યા. સૂ. ૧-૨-૧૯ १०. ऐन्द्रियकत्वात् अनित्यः शब्दो घटवत् इति कृते अपर आह-दृष्टम् ऐन्द्रियकम् सामान्यम् नित्यम्, कामं घटो नित्योऽस्तु इति । स खल्वयं साधकस्य दृष्टान्तस्य नित्यत्वम् પ્રસન્નયન નિમન્તમેવ પક્ષ નહાતિ, પક્ષ નહતું પ્રતિજ્ઞા નહીતિ – ન્યાયભાષ્ય, ન્યા. સૂ. ૫-૨-૨ ૧૧. યથોપિપુનઃ જીજ્ઞાતિનપ્રસ્થાનસાધનોપતિમો નઃ ધ – ન્યા. સૂ. ૧-ર-૨ ૧૨. આ પ્રતિપક્ષસ્થાપનાહીનો વિતાવું || – ન્યા. સૂ. ૧-૨-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001478
Book TitleHem Sangoshthi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1995
Total Pages130
LanguageGujarati, Hindi, Prakrit
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy