________________
મૂર્ધન્ય સાહિત્યકારો પદ્મભૂષણ પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયાને તથા ભાષાશાસ્ત્ર વ્યાકરણ, શબ્દશાસ્ત્ર તથા સંશોધન-વિવેચન આ સર્વ ક્ષેત્રે એક સંપૂર્ણ વિદ્વાન તરીકેની પ્રતિષ્ઠા ધરાવતા ડૉ. હરિવલ્લભ ભાયાણીને, એમ બે મૂર્ધન્ય વિદ્વાનોને શ્રી હેમચન્દ્રાચાર્ય ચન્દ્રક અર્પણ કરવાનો એક સાદો પણ ગૌરવ ભર્યો એવો સમારંભ યોજવામાં આવ્યો તો. આ બંને વિદ્વાનોને ભારતીય તત્ત્વજ્ઞાન, ભાષા અને સાહિત્યની તથા સંસ્કૃતિની તેમણે બજાવેલી દીર્ઘકાલીન તથા સંગીન એવી સેવા બદલ તેમને આ ચંદ્રક અર્પણ થયો હતો. અત્રે એ ખ્યાલમાં રહે કે પંડિત દલસુખભાઈ માલવણિયાને ગયે વર્ષે જ ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા ‘પદ્મભૂષણ'નું સન્માનપદ એનાયત થયું હતું અને ડો. હરિવલ્લભ ભાયાણીને તાજેતરમાં જ, લંડનની સ્કૂલ ઓફ એશિયન એન્ડ આફ્રિકન સ્ટડીઝની માનદ
ફ્લોશિપથી સન્માનિત કરવામાં આવ્યા છે. શ્રી માલવણિયાએ ભારતીય તત્ત્વજ્ઞાન અને વિશેષતઃ જૈન તથા બૌદ્ધ દર્શનનો ઇતિહાસ તથા વિકાસક્રમ ઉપર સઘન તેમજ વિપુલ પ્રદાન કર્યું છે. જ્યારે ડૉ. ભાયાણીએ પ્રાકૃત અને અપભ્રંશ સુદ્ધાં વિવિધ ભારતીય ભાષાઓ તથા સાહિત્યના ક્ષેત્રમાં અજોડ પ્રદાન કર્યું છે. આ સાથે તેમણે તે પ્રસંગે ડૉ. ભાયાણીએ પ્રસ્તુત કરેલા વક્તવ્યનો મુખ્ય ભાગ પણ રજૂ કર્યો હતો. ડૉ. ભાયાણીના અનેક રચનાત્મક સૂચનો તરફ ધ્યાન ખેંચીને ખાસ મુદ્દો કૃષ્ણવીર દીક્ષિતે દોહરાવ્યો હતો.
- (૨૩) For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org