SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ આ સંમાન હેમચંદ્રાચાર્યની સ્મૃતિમાં સ્થપાયેલા ટ્રસ્ટ તરફથી થઈ રહ્યું છે. હેમચંદ્રાચાર્યે જે સાહિત્યઘનું નિર્માણ કર્યું તેણે તત્કાલીન ભારતના વિદ્યાકીય નકશા પર ગુજરાતને ગૌરવવંતું સ્થાન અપાવ્યું અને એમ વલભીયુગની આપણી વિદ્યા અને સંસ્કારની ઉજ્વળ પરંપરાને પુનર્જીવિત કરવામાં તેમણે સર્વોત્તમ યોગદાન કર્યું. એટલું જ નહીં, તેમના આચારવિચારનાં ઉચ્ચ ધોરણો પછીથી સોલંકીયુગ અને વાધેલાયુગમાં પણ પ્રબળપણે પ્રેરક અને ફળપ્રદ બન્યાં. તેમની સ્મૃતિને સાચી શ્રદ્ધાંજલિ એક રીતે જ આપી શકાય : આપણે આજના ગુજરાતમાં પ્રાચીન સાહિત્ય અને સંસ્કારની પરંપરામાં જે કાંઈ ઉત્તમ હોય તે વિશાળ વર્ગને સુલભ કરીએ અને તેમની જેમ વર્તમાન યુગનાં વિદ્યાક્ષેત્રોની સિદ્ધિઓને આપણા લોકો સુધી પહોંચાડીએ. થોડાંક જ વર્ષોમાં ઘણું પ્રશસ્ય કાર્ય હેમચન્દ્રાચાર્યની સ્મૃતિમાં મુનિવર્યોની પ્રેરણાથી જ સ્થપાયેલા આ ટ્રસ્ટ દ્વારા થોડા જ વરસોમાં ઘણું પ્રશસ્ય કાર્ય થયું છે અને સાહિત્યસંશોધનની પ્રવૃત્તિને પુરસ્કારી છે. અત્યારની શોચનીય પરિસ્થિતિમાં આ એક પ્રબળ આશાસંકેત છે. આપણે જાણીએ છીએ, વિદ્યા, કળા, સાહિત્ય અને સંસ્કારની પરંપરાનું સંરક્ષણ અને સંવર્ધન કરવા માટે વ્યક્તિ, સંસ્થા, સમાજ અને રાજ્યશાસન એ ચારેની ભાગીદારી અનિવાર્ય છે. "વિનાશ્રયા ન શોભને પંડિતા વનિતા લતા." દુર્ભાગ્યે અત્યારે એ સર્વ અંગ ખોખલા બની ગયાં છે અથવા તો આપણે સૌએ સાથે મળીને તેમને ખોખલાં બનાવી દીધાં છે. કોઈ પણ પ્રજા વિદ્યા, કળા, સાહિત્ય વિચાર તથા વિજ્ઞાન વગેરે ક્ષેત્રોમાં કેટલું યોગદાન કરે છે, તે તેના સંસ્કારની પારાશીશી છે. ગુજરાત સ્પષ્ટપણે આ બાબતમાં ભારતના બીજા કેટલાક પ્રદેશોથી સારી રીતે પછાત છે. આપણા સમાજ કે રાજ્ય આ પરિસ્થિતિથી ખાસ ચિંતિત હોય એમ લાગતું નથી. આપણી ઘણીખરી વિદ્યા સંસ્થાઓ પણ ઝડપથી તેજ અને ચેતન ગુમાવી રહી છે અને તેમના મૂળ હેતુની કાર્યકરો અને સંચાલકો દ્વારા પોતાનાં સ્થળ હિતો પોષવા સંસ્થાઓના મૂળ હેતુઓની છડેચોક અવગણના થઈ રહી છે, તો ભાવના અને નિષ્ઠાવાળા વિદ્યોપાસકો અને કલાકારોની ભારે ખોટ વરતાય છે. પ્રાકૃત ભાષા સાહિત્ય અને જૈન અધ્યયનોનાં ક્ષેત્રોની જ વાત કરીએ તો પુણ્યવિજયજી, જિનવિજયજી, સુખલાલજી, બેચરદાસજી વગેરેની પેઢી પછી જે (૨૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001478
Book TitleHem Sangoshthi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1995
Total Pages130
LanguageGujarati, Hindi, Prakrit
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy