SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ વલભીપુરની ઐતિહાસિક કીતિગાથા વલભીપુર એ જૈન ધર્મ માટે, જૈન તીર્થ માટે તેમજ ગુર્જર રાષ્ટ્રના ઇતિહાસની દૃષ્ટિએ એક ઐતિહાસિક ક્ષેત્ર છે. આ નગરે કાળદેવતાની અનેક થપાટો ખાધી છે, તો અહીં ઇતિહાસ-પુરુષે વારંવાર પોતાનાં પડખાં બદલ્યાં કર્યાં છે. પુરાતત્ત્વવિદોને, વલભીપુર અને તેની આસપાસના પ્રદેશોમાંથી મળેલાં સેંકડો - ૨૫૦ કરતાંય વધારે - તામ્રપત્રોદાનપત્રો તેમજ આ પ્રદેશમાં ઠેર ઠેર વેરાયા પડેલા પુરાવશેષો આ વાતની ગવાહી પૂરે છે. - (૧) ઉપક્રમ વલભીપુરનો એક યુગ હતો. મધ્ય ભારતમાં જેમ ઉજ્જયનીનો ડંકો વાગતો તેમ એક સમયે ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન આ બધાના સંમિલિત સ્વરૂપ સમા પશ્ચિમ ભારતમાં વલભીપુરનો પણ ડંકો બજતો હતો. રાજા શિલાદિત્ય, ધ્રુવસેન, ધરસેન વગેરે ઇતિહાસપ્રસિદ્ધ રાજાઓ અને તેમના વિવિધ રાજવંશોએ, આ વલભીપુરને, પોતાના ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001473
Book TitleValabhipurni Aetihasik Kirtigatha
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2003
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy