SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ એમની પાસે રોજ સેંકડો માણસો વાસક્ષેપ લેતા, મુહૂર્તો લઈ જતા, મંગલાચરણ સાંભળતા. પણ એ ત્રણે ક્રિયાઓ કરતાં પૂર્વે એમણે સુરિસમ્રાટનું નામ અચૂક લીધું જ હોય; એ સિવાય આ ત્રણમાંથી એકેય ક્રિયા નહીં કરવાની. હંમેશ સવારે ઊઠતાને રાત્રે પ્રતિક્રમણ પછી સૂરિસમ્રાટની મૂર્તિઓ જે જે ગામમાં જ્યાં બિરાજતી હોય, તેનું માનસિક સ્મરણ કરીને એને ભાવવંદન કરવાનો એમનો અતૂટ નિયમ હતો. કેવી નિઃસીમ ગુરુભક્તિ ! સૂરિસમ્રાટના સ્વર્ગવાસને વર્ષો વીત્યાં, છતાં જ્યારે પણ એમના જીવનના પ્રસંગોની વાત નીકળે, ત્યારે એમની આંખો ભીની થયા વિના ન રહે. સૂરિસમ્રાટની શતાબ્દીના વર્ષે એ પાલિતાણા હતા. દીવાળીના દિવસે સાહિત્યમંદિરમાં સભા યોજાઈ. જુદા જુદા વક્તાઓએ પ્રવચનો કર્યા. છેલ્લે ઉપસંહાર કરતા આચાર્ય મહારાજે માત્ર સૂરિસમ્રાટનાં ચોમાસાની નોંધ કહી; પણ, એમાંય જ્યારે સં. ૨૦૦૫ના ચોમાસાની વાત આવી કે ત્યાં ભરી સભામાં આંખો છલકાઈ ઊઠી. ગળે ડૂમો ભરાઈ આવ્યો, બોલી ન શક્યા. સૂરિસમ્રાટના આશીર્વાદ તરફની એમની શ્રદ્ધા તો જુઓઃ પૂજય શ્રીવિજયસૂર્યોદયસૂરિજીની આચાર્યપદવી અને ‘શાસનસમ્રાટ' ગ્રંથના પ્રકાશન–સમારોહ પછી પૂજ્ય શ્રી વિજયકસૂરસૂરિજી મહારાજ પર એમણે લખેલા પત્રના આ શબ્દો છે: “શાસનસમ્રાટ” ગ્રંથપ્રકાશનમાં પણ માનવમેદની ખૂબ જ ભરચક હતી. બંને પ્રસંગોમાં લોકોનો ઉત્સાહ અને ઉલ્લાસ ખૂબ ખૂબ હતા. ૫. પૂ. શાસનસમ્રાટનો શુભ આશીર્વાદ ધારાબદ્ધ વરસતો હતો.” આવી અખંડ અને અજોડ ગુરુભક્તિનાં એમના જ શબ્દોમાં દર્શન કરીએ : “જગદ્ગદનીય, જગદ્ગુરુ, જૈનધર્મના શાસનસમ્રાટ, વર્તમાનકાળમાં યુગપ્રધાન સમાન, બાલ્યપણાથી અખંડબ્રહ્મચર્યના મહાન જ્વલંત સિતારા, સુગૃહીતનામય,સૂરિચક્રચક્રવર્તી પ.પૂ. શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ “જેઓ મારા મહાન ઉપકારી છે, “મારા અનાથના નાથ છે, “મારા અશરણના શરણ છે, “મારા પરમ ઉદ્ધારક છે, “મારા તારણહાર છે, “મને અબોધને બોધ આપનાર છે, “મને સમ્ય દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયી પમાડનાર, તેમાં સ્થિર કરનાર અને ઉત્તરોત્તર તેમાં વૃદ્ધિ પમાડનાર છે. “મને શ્રી વીતરાગશાસનમાં આટલી ઉચ્ચ કોટિએ લાવનાર છે. છે. દ0 Sain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy