SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યું હતું કે “મહારાજ ! આપની ભાવના ઘણી ઉત્તમ છે, સરળતાથી ભરેલી છે. કોઈ રીતે આ તિથિચર્ચાનો અંત આવે અને સંઘમાં એકતા સ્થપાય તેવી આપની સાચી ભાવના છે. પણ આ બાબતમાં આપને જશ મળવો કે આપને જશ આપવો, એ આપના હાથમાં નથી, એમ મને લાગે છે.” આ સાંભળીને નગીનભાઈ અવાક બની ગયા. અને આખરે બન્યું પણ એમ જ. શ્રીવિજયનંદનસૂરિજીએ કહ્યા પ્રમાણે, શ્રીવિજયલબ્ધિસૂરિજી મહારાજે તિથિચર્ચાનો નિવેડો લાવીને સમસ્ત તપાગચ્છમાં શાંતિમય ઐક્ય સ્થાપવાનું જે ઉત્તમ કાર્ય હાથમાં લીધું હતું, તે કાર્ય વિજયરામચંદ્રસૂરિજીના ખંભાતમાં આગમન પછી ડહોળાઈ જવા પામ્યું ! પરિણામે, શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજની હાર્દિક ભાવના નિષ્ફળ બની. એમના તરફથી સૂરિસમ્રાટને જણાવવામાં આવ્યું કે “અમે અમારા પ્રયત્નોમાં નિષ્ફળ નીવડ્યા છીએ. હવે સમાધાન નહિ થાય. આપ ખુશીથી વિહાર કરશો.' છિન્નભિન્નતામાં માનતાં આંતરિક પરિબળોનો આ પ્રભાવ હતો ! કહો કે, સંઘની શાંતિનો કાળ હજી પાક્યો ન હતો ! (૨૪) વેદાન્તના જ્ઞાતા શ્રી વિજયનંદનસૂરિજીને વેદાંતનો રસપૂર્ણ અભ્યાસ હતો. વેદાન્તના ગહન પદાર્થોની ને દ્વૈત—અદ્વૈતના તત્ત્વજ્ઞાનની ચર્ચા એ ખૂબ ૨સમય રીતે કરી શકતા. એ ચર્ચા કરતા એમને સાંભળીએ તો લાગે કે કોઈ મહાન વેદાન્તી આપણી સામે બેઠા છે. સંસારની નશ્વરતા અને એવી બાબતો પરનાં એમનાં ચિન્તનોમાં વેદાન્તના સિદ્ધાન્તોનું સારદોહન સતત જોવા મળતું. એક કપોળ ગૃહસ્થ હતા. નામે જમનાદાસભાઈ. મૂળ મહુવા પાસે રાજુલાના, પણ મુંબઈ ૨હે. ખૂબ સુખી. સરકાર તરફથી જે.પી.નો ઇલકાબ મળેલો. સૂરિસમ્રાટના ભારે અનુરાગી. ઘણીવાર આવે—જાય. એમને એક દીકરી હતી. નિર્મળાકુમારી. એ બહેનને સંસ્કૃતનો વિશેષ શોખ. વ્યાકરણ, કાવ્ય, તર્કશાસ્ત્ર ને વેદાન્ત, આ બધા વિષયો ઘણા રસપૂર્વક તૈયાર કરેલા, સંસ્કૃતમાં કડકડાટ વાતો કરે, ભાષણ પણ કરે. સં. ૧૯૯૯માં સૂરિસમ્રાટ રોહીશાળા હતા, ત્યારે એ બંને બાપ–દીકરી ત્યાં આવ્યાં. બાપુજી સૂરિસમ્રાટ પાસે બેઠા, ને નિર્મળાકુમારીએ કુતૂહલની વૃત્તિથી બધા સાધુઓને મળવાનું શરૂ કર્યું. બધામાં શ્રી વિજયનંદનસૂરિજી પાસે એમનું મન ઠર્યું. એમની પાસે બેસીને એણે સંસ્કૃતમાં વાતો આદરી. બંનેએ જુદી જુદી તત્ત્વચર્ચા સંસ્કૃતમાં ચલાવી. Jain Education International ૫૫ For Private & Personal Use Only www.jaineliborg
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy