SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આ પછી ફરી એકવાર શ્રી વિજયલક્ષ્મણસૂરિજી સૂરિસમ્રાટ પાસે આવ્યા. એ કહે : “શ્રીવિજયરામચંદ્રસૂરિજીની સહી કદાચ ન આવે તો ચાલે કે કેમ? કેમ કે, શ્રી વિજયપ્રેમસૂરિજી મહારાજની સહી આવે એમાં એમની સહી આવી જ જાય છે.' આના જવાબમાં શ્રી વિજયનન્દનસૂરિજીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું : “આમાં તો રામચંદ્રસૂરિજીની સહી જોઈએ જ. જ્યારે તિથિચર્ચાનો નિવેડો લાવવા માટે સાગરાનંદસૂરિજી મહારાજ અને વિજયરામચંદ્રસૂરિજીએ પી. એલ. વૈદ્યની મધ્યસ્થતા સ્વીકારી હતી ત્યારે લવાદના પ્રતિજ્ઞાપત્રમાં વિજયરામચંદ્રસૂરિજીએ પોતાના ગુરુ શ્રી વિજયપ્રેમસૂરિજીની હયાતી છતાંય પોતાની જ સહી કરી હતી; શ્રી વિજયપ્રેમસૂરિજીની સહી નહોતી કરાવી. એટલે આ નિર્ણયમાં પણ વિજયરામચંદ્રસૂરિજીની સહી હોવી જ જોઈએ.” શ્રી વિજયલક્ષ્મણસૂરિજી કહે: “એમણે પી. એલ. વૈદ્ય વખતે સહી આપી છે, એટલે જ આમાં સહી આપવા વિચાર નથી.” આનો ઉત્તર આપતાં સૂરિસમ્રાટે કહ્યું: “આ વિચાર એમનો વાજબી નથી. કારણ, હું તેમ જ વિજયલબ્ધિસૂરિજી મહારાજ જે નિર્ણય લાવીએ, તે કદાચ પી. એલ. વૈદ્યના ચુકાદાને મળતો આવે તો તેમાં વિજયરામચંદ્રસૂરિજીને કાંઈ વાંધો નથી. અને કદાચ અમારો નિર્ણય વૈદ્યના ચુકાદાથી જુદો આવે, તો પી. એલ. વૈદ્ય અમારા બન્નેની સાથે શાસ્ત્રાર્થ કરી શકે છે. એટલે એમાં પણ વિજયરામચંદ્રસૂરિજીને વાંધો હોય જ નહિ.” આની પૂરવણી કરતાં શ્રી વિજયનન્દનસૂરિજીએ કહ્યું: “પી. એલ. વૈદ્યના નિર્ણય વખતે વિજયરામચંદ્રસૂરિજીએ સહી આપી છે, એટલે આમાં આપવાની જરૂર નથી, એ એમનું કથન બિલકુલ વાજબી નથી; માત્ર બહાનું જ છે.” થોડા દિવસો પછી સૂરિસમ્રાટ સપરિવાર ખંભાતથી એક માઈલ દૂર આવેલા શકરપર ગામે પધાર્યા. ત્યાં પાટણવાળા સંઘવી શેઠ નગીનદાસ કરમચંદ વંદનાર્થે આવ્યા. શેઠ કેશવલાલ બુલાખીદાસ તે વખતે ત્યાં બેઠા હતા. નગીનભાઈએ વંદન કરીને બેસતાં બેસતાં કહ્યું: સાહેબ ! હવે આ તિથિનું બધું ચોક્કસ પતી જશે.” આટલું કહી ખિસ્સામાંથી એક કાગળ કાઢીને શ્રીવિજયનંદનસૂરિજીને વંચાવ્યો. એ વાંચીને તરત જ શ્રી વિજયનંદનસૂરિજીએ એમને રોકડું પરખાવ્યું: “હવે એ પતવાનું નથી, એ લખી રાખજો !” આપ આમ કેમ કહો છો, સાહેબ?” નગીનભાઈ અકળાઈ ગયા. શ્રી વિજયનંદનસૂરિજી કહેઃ “આ પત્રમાં વિજયરામચંદ્રસૂરિજી ખંભાત આવવાનું લખે છે. એટલે મને લાગે છે કે હવે એ પતવાનું નથી. ખરી રીતે તો તેમણે શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજને લખી દેવું જોઈએ કે તિથિ બાબતમાં આપ જે સમાધાન લાવશો તે મારે કબૂલમંજૂર છે. અહીં આવવાનો શો અર્થ છે?” મેં તો એકવાર વિજયલબ્ધિસૂરિજી મહારાજને પણ, સ્તંભનાજીના દેરે ભેગા થયા ત્યારે, જ , - ----ન ૫૪ in Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy