SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થ છે. તેઓ શા. ચુનીલાલ કેશવલાલ વિદ્યાર્થીગૃહના ગૃહપતિ છે. એમના પિતા ગિરધરકાકા હતા. એમના ઘરને મેડે ખીંટી પર ઘણા વખતથી એક દાંડો આડો પડી રહેલો, તેની નરોત્તમને બરાબર ખબર. બીજા કોઈને, અરે ખુદ ગિરધરકાકાનેય એની ખબર નહિ! એ દાંડો લઈને નરોત્તમ મહારાજ સાહેબને આપ્યો. એટલે મહારાજ સાહેબ ને બધા ખુશ ખુશ થઈ ગયા કે ખરો છોકરો !” આમ ને આમ પૂર્વના સુસંસ્કારો ઉદ્દબુદ્ધ થતા ગયા; નવા સંસ્કારોનો પ્રવાહ એમાં ઉમેરાતો ગયો, ને દીક્ષા લેવાની ભાવના, કોઈના ખાસ ઉપદેશ વિના જ, માત્ર આલંબનના બળે દઢ થતી ગઈ. ચોમાસું પૂરું થયું ને સૂરિસમ્રાટ વિહાર કરી ગયા. પહેલો મુકામ છ માઈલ દૂર અલાઉ ગામે હતો. ત્યાં સુધી બધા સાથે નરોત્તમ પણ ગયા, ને બધા સાથે પાછા આવ્યા. નરોત્તમના મનમાં દીક્ષાની ઉમેદ મજબૂત બની ગઈ – ઝાડના મૂળ જેવી. એમને એ ઉમેદ ભાવી ગઈ હતી, અને એટલે જ એ મીઠી પણ લાગતી હતી. પોતાને ભાવતી વસ્તુને મેળવવા કોણ ન ઝંખે? એનાં જતન કોણ ન કરે ? (૬) જાતવાન છોકરો સંસાર તો એક સંગ્રહસ્થાન છે - રાગ અને દ્વેષનું. સંસારી જીવ એ સંગ્રહસ્થાનનો રખેવાળ છે. એ સંગ્રહસ્થાનની સતત રખેવાળી કરવી, એ જાણે પ્રત્યેક સંસારી જીવ માટે ફરજિયાત છે. આવી રખેવાળીના આ ચક્કરમાંથી છૂટવાનો એકમાત્ર ઉપાય છે દીક્ષા. બાહ્ય દૃષ્ટિએ દીક્ષા એટલે પહેરવેશનું પરિવર્તન. આંતરદૃષ્ટિએ દીક્ષા એટલે રાગ-દ્વેષની રખેવાળીથી મુક્ત થવાનો નિષ્ઠાભર્યો પ્રયાસ. સંસારી જીવ માટે જેમ રાગ-દ્વેષની રખેવાળી ફરજિયાત છે, તેમ દીક્ષા લેનારે એ રખેવાળીમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરવો, એ જરૂરી છે. આ સમજીને દીક્ષા લે. એ ધર્મનો સાચો રાહ મેળવી શકે. દીક્ષા લઈને આ સમજણને આચરણમાં મૂકે, એ સાચો સાધુ બની શકે. ભલે અસ્પષ્ટ રીતે પણ, નરોત્તમના મનમાં આ સમજણ અવશ્ય જાગી ચૂકી હતી અને એટલે જ, હવે એમણે દીક્ષા માટેના પ્રયાસો આરંભવા માંડ્યા હતા. કે Jain Education International For Private & Personal Use Only www.jainelief.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy