SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ જાણવા મળશે કે જેમાં એમણે સામાન્ય અને નાની વ્યક્તિનું કાર્ય પહેલું કરી દીધું હોય ને એ કારણે અન્ય સંપન્ન વ્યક્તિઓને રાહ જોવી પડી હોય. એક ગામડાના ભાઈ કહેઃ મહારાજ સાહેબ ખૂબ દયાળુ હતા. અમારા જેવા નાના લોકો દસ વખત જઈને દસ જાતના મુહૂર્ત પૂછે, પણ એમને રોષ નહિ, અમને કોઈ દી' એમ નથી કીધું કે હવે છાલ છોડ ને ભાઈ.” એમના વાત્સલ્યની ખરી ખૂબી એ હતી કે તેઓ માર્ગશ્રુતને કે પતિતને પણ તિરસ્કારતા નહિ; પણ એને માર્ગે લાવવા પ્રયત્ન કરતા. અથવા એ આપમેળે માર્ગગામી બને અથવા વધુ પતન તરફ ન જાય, એવું વર્તન એના પ્રત્યે કરતા. આ જ કારણે શિષ્ટ જનોમાં એવી માન્યતા બંધાયેલી કે, “જેનું કોઈ નહિ, એના નંદનસૂરિ.” અને આ માન્યતા સાચી હોવાનો અનુભવ જ્યારે ચિત્રભાનુ અમેરિકાથી અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે થયો. ચિત્રભાનુ એમને મળવા આવેલા. ત્યારે એમને એમણે પ્રેમથી બોલાવ્યા, એમની સાથે વાતો કરી. આ પ્રસંગે કોઈકે એમને પૂછ્યું: “સાહેબ! આવી વ્યક્તિને આદર-પ્રેમ આપવાની શી જરૂર?” ત્યારે એમણે જવાબ આપ્યો : “ભાઈ ! જીવ કર્મને વશ છે. આવી પરિસ્થિતિમાં એ છે, એ ય કર્મનું જ ફળ છે ને? હવે એને તરછોડવાથી કે એનો દ્વેષ- તિરસ્કાર કરવાથી શો ફાયદો? એને પ્રેમ મળશે તો માર્ગ તરફ સદ્ભાવવાળો થશે, તિરસ્કારશો તો એનામાં હશે તે સદ્ભાવેય ચાલ્યો જશે.” અને સાચે જ, એમના વાત્સલ્યના પાનથી તૃપ્ત બનેલા ચિત્રભાનુએ કહેલું: “નંદનસૂરિ મહારાજ જેવા સરળ આત્મા અને સાધુ મેં કોઈ નથી જોયા. મારા પર તો એમના મહાન ઉપકાર છે.” અને આવા નિર્વાજ, નિઃસ્વાર્થ વાત્સલ્યનો જ એ પ્રતાપ હતો કે, તેઓ અજાતશત્રુ હતા; એમના કોઈ શત્રુ ન હતા. અને હોય તે પણ એમના પરિચયે, એમના દર્શને જ એમના તરફ સદ્ભાવ ધરાવતા થઈ જતા. એમના સ્વભાવની આ નિસર્ગજાત શક્તિ હતી. જનસમાજમાં એમના માટે એક શ્રદ્ધા હતી કે : નંદનસૂરિ મહારાજના આશીર્વાદ લઈએ તો આપણને ખૂબ શાંતિ મળે. આ શ્રદ્ધાને વાચા આપતા એક પત્રકાર ભાઈએ કહેલું : “સંસારી છીએ એટલે દુઃખ અને ઉપાધિ તો લાગેલાં જ છે. એ માત્ર આશીર્વાદ લેવાથી નષ્ટ નથી થઈ જવાનાં. પણ આ આચાર્ય મહારાજના આશીર્વાદ લઈએ છીએ, ત્યાર પછી આપણા જીવને ક્લેશ ને સંતાપ ઓછા થઈ જાય છે, દુઃખમાં પણ માનસિક શાંતિ ને સ્વસ્થતા ચોક્કસ અનુભવાય છે.” જનસાધારણમાં વ્યાપેલી આ શ્રદ્ધાને લીધે એમની પાસે લોકો સતત આવતા રહેતા. રવિવાર કે બેસતો મહિનો હોય ત્યારે તો લોકોને પૂર ઊમટતું. અને તેઓ પણ પૂરી પ્રસન્નતાથી, સૌને પૂરો સંતોષ થાય એ રીતે, આશીર્વાદ- વાસક્ષેપ આપતા અને મંગલાચરણ સંભળાવતા. પરીક્ષાના દિવસોમાં એક પણ પરીક્ષાર્થી બાળક એમની પાસેથી નિરાશ થઈને ન જતું. તેઓ પ્રેમથી બોલાવીને એમને વાસક્ષેપ નાખી આપતા. નાનાં નાનાં બાળકો- ભૂલકાંઓ પ્રત્યે તેઓ અપાર વાત્સલ્ય દાખવતા. કોઈની પાસે ન જનારાં બાળકો એમની પાસે આવીને નિરાંતે બેસી જતાં, વાસક્ષેપ નંખાવતાં. એવાં બાળકો સાથે આનંદ કરતાં એમને જોવા, એ પણ એક લહાવો હતો. ૧૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy