SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ એમની પાસે તૈયાર જ હોય. એમને જંગમ વિશ્વવિદ્યાલય કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. આટલું છતાં, કોઈ માણસ વિજ્ઞાનની કે નવા યુગની નવી વાત એમની પાસે રજૂ કરે, તો ઊંડી જિજ્ઞાસાથી તે સાંભળતા. સાંભળીને તે પર વિચાર કરીને શાસ્ત્ર સાથે એનો સમન્વય કઈ રીતે સાધી શકાય એ ચિંતનમાં ઊતરી જતા. આ જોઈને અનેકને પ્રેરણા મળતી. મૃતધર હોવા સાથે તેઓ ગ્રન્થકાર પણ હતા. એમની વિદ્વત્તા અને સંશોધનની આપસૂઝ એમણે રચેલા સોળ ગ્રંથોમાં પ્રતિબિંબિત છે. પોતાની તંદુરસ્ત વિદ્વત્તા ને ભવ્ય વિચારશક્તિને લીધે એમણે પોતાની એકેએક કૃતિને સમૃદ્ધ કરી છે. આ બધું હોવા છતાં લોકેષણા અને માનેષણાથી તેઓ પર હતા. નામનો મોહ એમને સર્વદા અસ્પૃશ્ય જ રહ્યો. પોતાનું નામ ક્યાંય ન આવે તેની તેઓ વિશેષ દરકાર રાખતા. સં. ૨૦૩૦માં એમના દીક્ષા-પર્યાયને ૬૦ વર્ષ પૂરાં થતાં હોઈ, તેની સ્મૃતિ કાયમ રહે તે હેતુથી શ્રી મહિમાપ્રભસૂરિ જ્ઞાનમંદિરનો હૉલ એમના નામે કરવાનો વિચાર સૌએ કર્યો. એમને આ વાતની જાણ થતાં એમણે સ્પષ્ટ ના ફરમાવી દીધી. કહેઃ “શાસનસમ્રાટનું નામ રાખો, મારું નહિ; મારી સંમતિ નથી.” શું કરવું? છેવટે સૌએ ભેગા મળીને તોડ કાઢ્યો કે, “શાસનસમ્રાટ જન્મશતાબ્દી સ્મૃતિ નિમિત્તે “શ્રી નેમિ-નન્દન પ્રવચન હૉલ” નામ રાખીએ.” આ વાત એમને જણાવી ત્યારે સૌના આગ્રહ આગળ લાચાર થઈને હા ભણી. બોટાદમાં ય એવું જ બન્યું. એમના સાંસારિક જ્ઞાતિજનો કહે: “આપના નામનો ઉપાશ્રય બંધાય તો જમીન માટે વિચારીએ.” તેઓ કહે: “મારું નામ ન જોઈએ.” છેવટે સંઘે આગ્રહ કરીને નેમિ-નંદન વિહાર-પૌષધશાળા' નામ રાખવાની હા ભણાવી. આવા તો અનેક પ્રસંગો છે, જેમાં એમનો ગુણવૈભવ જળાંહળાં કરતો દર્શન દે છે. આ તો માત્ર એનું આછું દર્શન જ સમજવું. (૩૯) વાત્સલ્યસિંધુ પર્વતની ગોદમાં ખળખળ કરતું નાજુક અને નિર્મળ ઝરણું વહે, એમ શ્રીવિજયનંદનસૂરિજીના અંતરમાં વાત્સલ્ય વહેતું. એ વાત્સલ્યના અમૃતનું પાન કરવાનો જે કોઈને અવસર મળતો, એ ધન્ય બની જતો. ઝરણાની જેમ જ તેઓ સુખી- ગરીબ કે નાના-મોટા સૌને, સમાન રીતે, વાત્સલ્ય-પાન કરાવતા. સંપન્ન કે પ્રસિદ્ધ વ્યક્તિ આવે તો તેનું કાર્ય વહેલું પહેલું કરી આપવું ને સામાન્ય વ્યક્તિનું કાર્ય પછી કરવું આવો પંક્તિભેદ એમના હૃદયમાં ન હતો. ઊલટું, કેટલાક પ્રસંગો તો એવા આ ૧ ૨૨ Jan Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy