SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્ણયો જાહેર કરાયા : “(૧) બાર પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કોઈ પણ સંયોગોમાં ન જ કરી શકાય. (૨) સંવત્સરી મહાપર્વની આરાધના ભાદરવા શુદિ પાંચમને અખંડ રાખીને જ કરવાની છે. (૩) ચાલુ વર્ષે (સં. ૨૦૧૪) તા. ૧૬-૯-૫૮ને મંગળવારે જ સંવત્સરી કરવાની છે.” સં. ૨૦૧૪ના આ સમેલનને શિષ્ટ સભ્ય સમાજના લોકોએ જૈન સમાજની મોટી નિષ્ફળતા ગણી. આજે પણ એ લોકો એને નિષ્ફળતા જ કહે છે. અલબત્ત, એ સંમેલન નિષ્ફળ જરૂર ગણાય, પણ એ નિષ્ફળતાનું મૂલ્ય સફળતા જેટલું જ આંકવું જોઈએ. આ જેવી તેવી સફળતા નથી. અને આટલું લાવ્યા છતાંય એને જો નિષ્ફળતા કહેવાતી હોય તો તે પણ આદરણીય જ ગણાશે. શ્રી વિજયનંદનસૂરિજીને એક પત્રમાં પં. મફતલાલ ઝવેરચંદ લખે છે : “મને પોતાને તો સ્પષ્ટ લાગે છે કે આજ સુધી આપણા પક્ષે જે કાંઈ વલણ લીધું છે તે યોગ્ય, વ્યાજબી અને જરૂરી જ લીધું છે. આમાં જરા પણ આપણી ભૂલ થઈ નથી.” “કોઈનું ભૂંડ ઇચ્છનાર પોતાનું જ ભૂંડુ કરે છે.પારકાનું કાંઈ કરી શકતો નથી. ગયા સંમેલનમાં અને આ સંમેલનમાં બંનેમાં તેઓ બન્યા છે.” “હું તો ખરેખર આપને જ આનો યશ આપું છું. આપ જો ન આવ્યા હોત તો શું પરિણામ આવત તે તો ભાવિ જાણે, પણ આપે આવી, પર્વતિથિનું રક્ષણ કર્યું છે. અને જે કામ સાગરાનંદસૂરિજી કે કોઈ ન કરી શક્યા તે કર્યું છે. આ કરવામાં આપે શાસનનું પરમ કલ્યાણ કર્યું છે. એટલું જ નહિ, પણ શાસનના શિરસ્તાને ઉલ્લંઘનારને યોગ્ય શિક્ષા આપી શાસનના રાહનું રક્ષણ કર્યું છે, નહિતર એ સ્થિતિ આવી પહોંચી હતી કે ગમે તે માણસ મનગમતી વસ્તુ ભક્તોના કે પૈસાના જોરે શાસનમાં ઘુસાડી અને સાચી વાતને હંમેશ માટે ધકેલી દેત. આપે તો આ કામ આપના જીવનમાં પરમસુકૃત અને અંતે પણ સુકૃત અનુમોદનારૂપ કર્યું છે. આની પાછળ કોઈને પાછા પાડવાની કે કિન્નો લેવાની બુદ્ધિ નથી. માત્ર ચાલુ પરંપરાને કોઈ પણ માણસ તોડે તે ઉત્પથથી સમાજને રક્ષવાની ભાવના હતી.” અંતે એટલું જ કહીશું કે આ સંમેલનમાં શ્રી વિજયનંદનસૂરિજી ન આવ્યા હોત તો સં. ૧૯૯૯માં પી. એલ. વૈદ્યના ચુકાદા વખતે સર્જાયેલી સ્થિતિથીયે વધુ કફોડી સ્થિતિ પેદા થાત એ નિઃશંક છે. (૩૪) પંચાંગ પરિવર્તન સંમેલનની સમાપ્તિ થઈ તો ખરી, પણ એ પછી પુનઃ પત્રિકાબાજી શરૂ થઈ ગઈ. સામો પક્ષ કે તો લખાણ અને પત્રિકાને જોરે જ ઝઝૂમતો અને નભતો હતો. એનું એ પ્રબળ પ્રચાર માધ્યમ હતું. પણ છે. આ પક્ષમાં પણ અમુક તત્ત્વો એવાં હતાં, જેને આવી પત્રિકાબાજીમાં રસ હતો. આનાથી ૧૦૨ Pain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy