SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ આ તારમાં હજી વિહારનો વિચાર જ સૂચવ્યો હતો; ચોક્કસ નિર્ણય નહિ. પણ શેઠને એથી ખૂબ આનંદ થયો, પણ, શ્રી વિજયનંદનસૂરિજીની પ્રતિકૂળ રહેતી તબિયતે તેમને તેમનો આ વિચાર ફેરવવાની ફરજ પાડી. તેમણે તરત જ પત્રથી જણાવ્યું: અમારી તબિયતની પ્રતિકૂળતાથી અમે આવી શકીએ તેમ નથી.” આ દિવસોમાં તેઓ કદમ્બગિરિમાં બિરાજતા હતા. ઉપરનો જવાબ લખ્યો, પણ મનમાં હજી જવું–ન જવુંની દ્વિધા ચાલુ જ હતી. એક વાર તો જવાનો ચોક્કસ વિચાર થઈ ગયો, એટલે કદમ્બગિરિથી પાલિતાણા તરફ વિહાર પણ કર્યો. પણ એ ચાર દિવસ દરમ્યાન ચક્કર, ગેસ, દુઃખાવો, અને એને લીધે વધતી નબળાઈથી થાકીને પાલિતાણાથી આગળ વધવાનું મોકૂફ રાખવું પડ્યું. શેઠ કેશુભાઈ ઉપરાંત એકતિથિપક્ષના બીજા પણ અનેક ગૃહસ્થોના પત્રો શ્રીવિજયનંદનસૂરિજી પર આવ્યે જ જતા હતા. સૌની એક જ ભાવના હતી કે “આપ પધારો, તો જ સમેલનમાં મઝા અને વ્યવસ્થા રહી શકશે.” તા. ૧-૨–૫૮ના પત્રમાં સલોત ફૂલચંદભાઈ છગનલાલ લખે છે: “આચાર્ય મહારાજ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ પ્રેમસૂરિજી મહારાજ સાહેબજીએ મને આજે બોલાવ્યો હતો, અમારી સાથે એકલા એકાંતમાં ઓરડીમાં ખરતરગચ્છના ઉપાશ્રયે હાલ છે ત્યાં બેસી અમોને જણાવ્યું કે નન્દનસૂરિજી તથા ઉદયસૂરિજી મહારાજને કોઈ રીતે અહીં લાવ્યા વિના ચાલવાનું નથી. તેમની હાજરી વગર આ ઠેકાણું પડે તેમ નથી. હું નંદનસૂરિજી માટે પ્રથમ એવું મંતવ્ય ધરાવતો હતો કે તેમને કોઈ દિવસ મળવું નહીં. પણ પાલિતાણામાં અમો મળ્યા બાદ તેમના માટે મને પૂરેપૂરું માન થયું છે, અને તે વાત હું હૃદયથી કહું છું. અમે બન્ને એક થઈ તુરત પતી જશે. અને હું માનું છું ત્યાં સુધી અમારા બન્નેના વિચારો મળવામાં અશક્ય લાગતું નથી. જેથી હું અંગત ખાસ કહેવરાવું છું કે તેમણે–ઉદયસૂરિજી તથા નન્દનસૂરિજીએ–ગમે તે રીતે-ડોળીમાં બેસવું પડે તો ડોળીમાં–આવી પહોંચવું બહુ જ જરૂરી શેઠ આણંદજી કલ્યાણજી ની પેઢીના મુખ્ય મેનેજર શ્રી નાગરદાસભાઈ એક અંગત પત્રમાં લખે છે: “અમદાવાદમાં આ તબક્કે, આપની હાજરીની કેટલી અગત્યતા છે, અને શાસનને આપની દોરવણી તથા દીર્ઘદૃષ્ટિની કેટલી આવશ્યકતા ઊભી થઈ છે તે આપનાથી અજાણ નથી છતાં, કમભાગ્યે, આપનું સ્વાથ્ય વિહાર યોગ્ય જણાતું નથી..... હું તો હજુ પણ એવી આશા સેવી રહ્યો છું અને પ્રાર્થના કરી રહ્યો છું કે આપની તબિયતમાં ઝડપથી સુધારો થાય અને શાસન–સંગઠન અને અભ્યદયના આ કાર્યમાં વહેલા-મોડા પણ, અત્રે હાજરી આપવા યોગ્ય સ્વાથ્ય આપ પ્રાપ્ત કરો.” શેઠ શકરચંદ મણિલાલ લખે છે: “અમદાવાદના સકળ સંઘની મીટ આપના ઉપર વધારે જોઈ રહેલ છે કે ક્યારે આપશ્રી અત્રે પધારો ! અમારા જાણવા, જોવા અને સાંભળવા પ્રમાણે અમને બીજી વાર કારણ મલે છે કે આપશ્રીની અત્રે હાજરીની ખાસ જરૂર છે.” ૮૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy