SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ હાજર ન રહે, અથવા સર્વાનુમતે જે નિર્ણય આવે તે અમો કબૂલ ન રાખતા હોઈએ, તો કદાચ સામા પક્ષને કે બીજાને તમારા લખવા પ્રમાણે બોલવાનું થાય એમ કહી શકાય, પણ એવું અમારા તરફથી કંઈ છે જ નહિ.” આ સ્પષ્ટ ખુલાસાથી શેઠને ખૂબ સંતોષ થયો. તેમણે વળતો પત્ર લખ્યો: “આપની તબિયતના સમાચાર જાણી ચિન્તા થાય છે. તબિયતની અનુકૂળતા મુજબ વર્તવાનું રાખશો...આપને આવવું પડશે, એવું મેં જે લખ્યું છે તે પણ “આપના સિવાય ઠેકાણું પડે તેમ નથી.' તેમ બધાના અભિપ્રાય જાણીને જ લખ્યું છે.....સંઘની શાન્તિ સારુ આપને તબિયતની અનુકૂળતા ન હોવા છતાં તસ્દી આપવી પડશે. કારણ, આપના વગર ઠેકાણું પડવાનું નથી.” આના અનુસંધાનમાં બંને વચ્ચે પત્રવ્યવહાર ચાલુ જ રહ્યો. શેઠના દરેક પત્રોમાં વિનંતી મુખ્યરૂપે રહેતી. તા. ૨૫-૧૨- ૫૭ના પત્રમાં લખ્યું કે : “આપની ગેરહાજરીમાં ચર્ચાનો નિર્ણય થઈ શકે તેમ નથી.” તા. ૨- ૧- ૫૮ના દિવસે શેઠે સંમેલન વિષે માર્ગદર્શન મળે, એ હેતુથી પણ પધારવાનો આગ્રહ કરતાં લખ્યું કે : “પૂજય આચાર્યશ્રીઓનું મિલન તિથિચર્ચાનો નિર્ણય લાવી સંઘમાં એકતા સ્થાપવા માટે છે. શાસન ની ગૌરવતા તથા ઉન્નતિ પ્રત્યે અમારા કરતાં તેમને વધુ રસ હોઈ નિર્ણય કેવી રીતે લાવવો એને તેને સારુ શું શું કરવું તથા કેવી રીતે ગોઠવવું, તે તેમના બધાના ઉપર છોડવાનું વાસ્તવિક તથા શોભારૂપ હોવાથી તે સંબંધી કોઈ પણ ચર્ચા કોઈ સાથે કરવામાં આવી નથી અને તે અગાઉથી ન કરવી હિતાવહ છે. તદુપરાંત આપના સમુદાયમાંથી આપે તથા પૂ. ગુરૂ શ્રીવિજયોદયસૂરીશ્વરજીએ તો પધારવું જ જોઈએ તેવી સર્વે વૃદ્ધ, વડીલ આચાર્યશ્રી તેમ જ મુનિમહારાજશ્રીઓની પ્રબળ ઇચ્છા છે, તેમ નિર્ણય લાવવામાં આપ યોગ્ય રીતે દોરવણી આપી કાર્ય ફળીભૂત કરી શકશો તેવી ભાવનાથી આપ જરૂર પધારવું, તેવું આપને વિનંતી કરવા મને પ્રેરણા અપાઈ છે, તેથી મારી વિનંતીને આપ માન્ય રાખી બની શકે તેટલા વહેલાં આવી શકો તેવી રીતે વિહાર ગોઠવશો.” આના ઉત્તરમાં પહેલાં તો શ્રી વિજયનંદનસૂરિજીએ તબિયતની પ્રતિકૂળતાના કારણે ના જ લખી, એ સાથે સંમેલન કઈ રીતે થઈ શકે, અને તેમાં ચર્ચાને નિર્ણય કઈ પદ્ધતિથી લઈ શકાય, તેનું વિસ્તૃત માર્ગદર્શન પણ લખી મોકલ્યું. પણ આના જવાબમાં શેઠે લખ્યું કેઃ “આપના સિવાય સંમેલન અશક્ય લાગે છે તેથી જે જે પૂજ્ય આચાર્યશ્રીઓએ મારી વિનંતીને સ્વીકારી, લાંબા વિહાર તેમ જ શારીરિક સ્થિતિ બરોબર નહીં છતાં જેમ બને તેમ વહેલાં આવવા કબૂલ થયા તેમને અગાઉથી વધુ પરિશ્રમ નહીં લેવા જણાવવું એ મારી ફરજ સમજું છું. આ પત્ર, આપની સલાહ તેમ જ આપના સિવાય એકઠાં થવું અશક્ય છે, તેટલું આપના ધ્યાન પર લાવવા, તેમજ તે બાબત વિચાર કરવા સારુ લખું છું.” શેઠના આ પત્રથી એમને મનમાં વિચાર આવ્યો કે, “બધાં મારા માટે આટલો આગ્રહ રાખે છે, અને સંઘની એકતાનું કામ છે, તો તબિયતનો વિચાર ન કરીને પણ જવાય તો સારું.” આ વિચારથી એમણે શેઠ પર તાર કરાવ્યો કે હું ત્યાં આવવાનો વિચાર રાખું છું. નાગરદાસભાઈને અહીં પહેલી ટ્રેઈનમાં મોકલો.” ૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrarorg
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy