SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ શ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરીએ આ માટે એક મુનિસમેલન બોલાવવાનો વિચાર વ્યક્ત કરીને સંઘની આ પ્રબળ ઇચ્છાને વાચા આપી. એમણે કહ્યું: ‘તિથિચર્ચાનો સળગતો સવાલ ઉકેલવો હોય, તો તપાગચ્છના આગેવાન આચાર્યાદિ મુનિઓ ભેગા મળે, તો જ તે પ્રશ્નનો ઉકેલ આવે; એ સિવાય બીજો કોઈ રસ્તો નથી.” અને એમના આ સુંદર વિચારને સંઘના અનેક આગેવાનોએ સહર્ષ વધાવી લીધો. પછી તો, આ માટે ઝડપી કાર્યવાહી આદરવામાં આવી. શેઠ કેશુભાઈને જ આ કાર્ય ઉપાડવા અને સફળતાથી પાર પાડવા માટેની જવાબદારી સોંપવામાં આવી. તેમની આગેવાની નીચે અમદાવાદના તમામ ઉપાશ્રયોના વહીવટદાર શ્રાવકોની એક મોટી (૭૧ સભ્યોની) કમીટી નીમવામાં આવી. આ પછી, આ બાબત અંગે, શેઠ કેશુભાઈએ બંને પક્ષના જુદા જુદા આચાર્યાદિ સાથે વિચારવિમર્શ અને પત્રવ્યવહાર શરૂ કર્યો. આના પરિણામમાં એમને ખૂબ આશા બંધાય તેવા જવાબો મળ્યા. સમેલન એકત્ર કરવા માટેના અને એ માધ્યમે તિથિપ્રશ્નનો નિવેડો લાવવા માટેના પ્રયત્નને સૌએ સુંદર અને આવકારદાયક ગણાવ્યો. એટલે શેઠ કેશુભાઈએ, સમેલન કરવાનો નિર્ણય કરીને, બધા આચાર્યાદિ મુનિવરોને અમદાવાદ પધારવાની વિનંતી કરવી શરૂ કરી. શ્રી વિજયોદયસૂરિજી મહારાજ અને શ્રીવિજયનંદનસૂરિજીએ પણ વિનંતિપત્ર લખી મોકલ્યો. એ બંને આચાર્યોએ સમેલનના શુભ કાર્યમાં સમ્મતિ આપી. પણ શ્રી વિજયોદયસૂરિજી મહારાજને આંખની તકલીફ હતી, અને શ્રી વિજયનંદનસૂરિજીને ગેસ, લીવરના દુઃખાવાને કારણે વધુ પડતી નબળાઈ આવી ગઈ હતી અને વિહાર થઈ શકે એવી સ્થિતિ ન હતી, એટલે એ બંનેએ હાજર રહેવાની પોતાની અંગત પ્રતિકૂળતા પણ જણાવી. પણ, આની અસર વિપરીત થઈ. શેઠે શ્રી વિજયનંદનસૂરિજીને જણાવ્યું: “આપના તરફથી આપે આવવું જ પડશે. આપ અહીં આવવાનો વિચાર નહીં રાખો તો આપનો સમુદાય નિર્ણય કરવા માગતો નથી તેવું સામા પક્ષને બોલવાનું થશે.” શ્રી વિજયનંદનસૂરિજી એકતા માટે ખૂબ ખૂબ આતુર હતા, પણ, જયાં તબિયત જ કહ્યું ન કરતી હોય, ત્યાં તેઓ શું કરી શકે? એમણે શેઠને જવાબ લખ્યો : “તિથિચર્ચાનો એક નિર્ણય આવે એવી અમો પણ પૂર્ણ ઇચ્છાવાળા છીએ. “આપના તરફથી આપે આવવું જ પડશે.' લખ્યું, તો તમો પણ સારી રીતે સમજી શકો છો કે અમારી તબિયત તેવો શ્રમ લઈ શકીએ તેવી અનુકૂળતાવાળી બિલકુલ નથી. હજુ કાયમ ગેસ, પડખાનો દુઃખાવો રહ્યા જ કરે છે, તેમ જ નબળાઈ તો ખૂબ જ રહે છે. હજુ અધું માઈલ ચાલી શકાય તથા દાદરો ચડી શકાય તેટલી પણ શક્તિ નથી... આવી અમારી પરવશતાની સ્થિતિમાં અમો ત્યાં કેવી રીતે પહોંચી શકીએ? અને કેવી રીતે ત્યાં પરિશ્રમ લઈ શકીએ? .. “આપ નહીં આવો તો આપનો સમુદાય નિર્ણય કરવા માગતો નથી તેવું સામા પક્ષે બોલવાનું થશે.” વિ. જે તમોએ લખ્યું તે વ્યાજબી નથી. અમારા સમુદાય તરફથી કે ८४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy